Nirmal Metro Gujarati News
article

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

 

રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક પ્રાથમિક શાળાના વર્ગખંડનો સ્લેબ તૂટી પડ્યો હતો અને તેને કારણે વર્ગમાં બેઠેલાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયાં હતા. તે પૈકી સાત બાળકોનાં મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં અનેક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક રામકથાના શ્રોતા ની સહાયતા લઈ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

Numerology : વિશ્વાસ સાથે જીવન બદલાવવાનું શાસ્ત્ર: હિતેશ ગજ્જર દ્વારા સફળ ન્યુમરોલોજી વર્કશોપનું આયોજન

Reporter1

Amit Shah, Morari Bapu unveil Deendayal Upadhyaya’s statue in Chitrakoot

Reporter1

બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે. સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ. એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે. વેદાંતમાં જ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે. “માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા”

Master Admin
Translate »