Nirmal Metro Gujarati News
article

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ટાન્ઝાનિયા અરૂશાનો નૂતન મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન 

 

 

ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રજત જયંતિ ઉજવાઈ

 

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા – અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ આધ્યાત્મિકતા સભર કાર્યક્રમોથી સંપન્ન થયો.

 

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ દ્વારા ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રચના કરાઈ હતી, જે ડિઝાસ્ટર ટીમનું મેનેજમેન્ટ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી ૨૫ વર્ષથી સફળ સંચાલન દેશ વિદેશમાં કરી રહ્યા છે, સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી અને શ્રી હિતેશ પટેલ પણ ટીમ સાથે કાર્યરત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવાઈ હતી.

 

આ પ્રસંગે પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સન્માન ઘી યુનાઈટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સર્વ શ્રી બસીરી મહાધી મઘેહેલી, ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસક્યુ ફોર્સ ડોડોમી, ગુડલક ઝેલોથી, ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સ, ઓસવાર્ડ મેવાન જીજીલે, અરૂશા રીજીઓનલ ફાયર ઓફિસર અને રેવો કાટુએ બડંબા, અરૂશા રીજીઓનલ ફાયર માર્શલે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને એપ્રીશિએશન પત્ર મોમેન્ટો આપી સન્માન્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર ટીમ મેનેજમેન્ટ  અહીંયા આવી ટ્રેનિંગ આપે છે એ એક સંસ્થાનું ઐતિહાસિક કાર્ય છે. જેથી વિશ્વમાં શાંતિ અને એકતા સ્થપાય, ભાઈચારો જળવાય રહે તે માટેની વિશ્વબંધુત્વની ઉમદા ભાવના પણ રહેલી છે.

ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.

 

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Related posts

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

Toyota Kirloskar Motor Reaffirms its Commitment to Environmental Sustainability on the World Environment Health Day 2024

Reporter1

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

Reporter1
Translate »