Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર!

વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા ૦૬ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ ૧૫% વધીને ૮૪ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જો આ યુદ્ધ વધુ લંબાય તો કિંમતો ૯૦ ડૉલર સુધી પહોંચવાની આશંકા છે, જોકે બજારમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સ્થિતિ સામાન્ય થતા જ ભાવ ઘટવાની પણ શક્યતા છે. આ વધારા વચ્ચે ભારત સરકાર દ્વારા દેશના ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સ્થાનિક બજારમાં તેલની કિંમતો પર હાલમાં કોઈ અસર પડશે નહીં. ભારત પાસે પૂરતો તેલ અને ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે અને સરકાર વૈકલ્પિક સપ્લાય માટે IEA અને ઓપેકર (OPEC) જેવા સંગઠનો સાથે સતત સંપર્કમાં છે.બીજી તરફ, કતાર દ્વારા ગેસ ઉત્પાદન બંધ કરવાના નિર્ણયની ભારત પર મર્યાદિત અસર પડશે, કારણ કે ભારત તેની જરૂરિયાતનો માત્ર ૩૦% ગેસ જ કતારથી આયાત કરે છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ગેસની અછત સર્જાય તો પણ ઘરેલું પીએનજી(PNG) અને સીએનજી(CNG) વપરાશકર્તાઓ પર તેની કોઈ અસર થવા દેવામાં આવશે નહીં. ઈરાનની હોર્મુજ જળમાર્ગ બંધ કરવાની ધમકી અંગે પણ સરકારે તૈયારીઓ કરી લીધી છે. ભારતની આયાતનો ૪૦% હિસ્સો આ માર્ગ પર નિર્ભર છે, પરંતુ સુરક્ષિત અને અન્ય વૈકલ્પિક માર્ગો દ્વારા સપ્લાય વધારીને તેની ભરપાઈ કરવાની વ્યૂહનીતિ ઘડવામાં આવી છે. આમ, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે.

Related posts

સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા

Master Admin

નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી: બિહારથી આવ્યા મોટા સમાચાર

Master Admin

મદ્રાસ હાઇકોર્ટની લિવ-ઇન રિલેશનશિપ પર કડક ટિપ્પણી

Master Admin

Leave a Comment

Translate »