Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ : ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

આ દરમિયાન તેમણે જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે (૨૪ ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના ભોપાલમાં પાર્ટી દ્વારા આયોજિત ’કિસાન મહા ચૌપાલ’માં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. આ ચૌપાલ ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ વ્યાપાર કરારના વિરોધમાં આયોજિત કરાઈ રહી છે. આ દરમિયાન તેમણે જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા.

ભોપાલના જવાહર ચોકમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ’પહેલીવાર લોકસભામાં નેતા વિપક્ષને બોલવા નથી દેવાયા. મને બોલવા નથી દેવાયો. પુસ્તકમાં નરવણેજીએ સ્પષ્ટ લખ્યું છે કે, જ્યારે ચીનના ટેન્ક ભારતની બોર્ડરમાં આવી રહ્યા હતા તો તેમણે રાજનાથ સિંહને ફોન કર્યો અને તેમને પૂછ્યું કે મારો ઑર્ડર શું છે? જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે વડાપ્રધાન મોદી ગાયબ થઈ ગયા.’

Related posts

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

Master Admin

સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય

Master Admin

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »