Nirmal Metro Gujarati News
article

ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલ ટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાં ઉભું હતું તેની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. અકસમાત થયો તે સમયે હાઈવે ચિચિયારીઓ થી ગાજી ઊઠ્યો હતો. આ અત્યંત દુઃખદ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સિવાય થોડા દિવસ પહેલાં નારી નજીક અકસ્માતમાં એક સાધુ યુવકનું મોત નિપજ્યું હતું તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર ની સહાયતા રાશિ પૂજ્ય બાપુએ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

Herbalife India collaborates with IIT Madras to Launch  Plant Cell Fermentation Technology Lab

Reporter1

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસેનને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ 

Reporter1

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી યશોમતીજી જોડાયાં હતાં અને શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. પ્રથમ દિવસે શ્રી વેદપ્રકાશ મિશ્રજીનાં સંચાલન સાથે વક્તાઓમાં જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી નરહરિદાસજી મહારાજ, શ્રી અખિલેશ ઉપાધ્યાયજી, શ્રી યશોમતીજી, જગતગુરુ શ્રી શ્રીધરાચાર્યજી, શ્રી શશી શેખરજી, શ્રી ઉમાશંકર વ્યાસજી અને શ્રી રામહૃદયદાસજી દ્વારા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવેલ. પ્રારંભે શ્રી હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાત કરેલ. સોમવારથી બુધવાર દરમિયાન યોજાયેલ સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે ગુરુવારે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.

Reporter1
Translate »