Nirmal Metro Gujarati News
article

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું હતું. કડીના જાસલપુર ગામે આ દુર્ધટનામાં બનવા પામી છે અને તેમાં તાજેતરની વિગતો અનુસાર ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. કલોલ સ્થિત રામકથાના શ્રોતા શ્રી નવીનભાઈ અને તેમની ટીમ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.

Related posts

Shiv Nadar University, Delhi-NCR invites Applications for 2025-26 Academic Year

Reporter1

૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી

Reporter1

ICONIC 2025 Tourism Summit in Collaboration with TV9 Brings Together Visionaries and Leaders

Reporter1
Translate »