Nirmal Metro Gujarati News
article

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું હતું. કડીના જાસલપુર ગામે આ દુર્ધટનામાં બનવા પામી છે અને તેમાં તાજેતરની વિગતો અનુસાર ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. કલોલ સ્થિત રામકથાના શ્રોતા શ્રી નવીનભાઈ અને તેમની ટીમ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.

Related posts

After the Khalasi Phenomenon, Aditya Gadhvi Brings Meetha Khaara to Coke Studio Bharat This Festive Season” Meetha Khaara, a Soulful Tribute to Gujarat’s Agariya Community

Reporter1

Ahmedabad’s very own Shruti Pathak back home for new projects and Navratri performances

Reporter1

કથા સાધન નહીં સાધ્ય છે

Reporter1
Translate »