Nirmal Metro Gujarati News
city

દિલ્હી અને મુંબઈમાં વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

        જ્યારે રાજકોટના ગેઈમ ઝોનમાં આગ લાગી હતી તે જ દિવસોમાં દિલ્હીની એક ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ શિશુના મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાં નવજાત શિશુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને બાળકોને શ્રઘ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર ની સહાયતા રાશિ અર્પણ કરી છે. દિલ્હી સ્થિત રામકથાના શ્રોતાઓ (પ્રદીપ ભાઈ ) દવારા આ રાશિ પહોંચાડવામાં આવી છે.
    મુંબઈ માં પંત નગર નજીક આવેલા પેટ્રોલ પંપ પર બોર્ડ પડતાં ઘાટકોપરના ૧૭ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા મુંબઈ રામકથાના શ્રોતાઓ (પ્રવીણ ભાઈ) દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. બંને ઘટનામાં કુલ મળીને રુપિયા ૩,૬૦,૦૦૦ (ત્રણ લાખ સાંઈઠ હજારની ) સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદના ઉજ્જવલ ભવિષ્યની પહેલ

Reporter1

ફિક્કી વાયફ્લોએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરી

Master Admin

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

Reporter1
Translate »