Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૨૫,૦૦૦ પ્રમાણે ૨,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમા મોકલવામાં આવશે. એ જ ઘટનામાં ૧૧ સૈનિકો ઘાયલ થયા છે તેમના માટે પ્રતિ જવાન ૧૧,૦૦૦ લેખે કુલ મળીને રુપિયા ૧,૨૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

Master Admin

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

Master Admin

મહત્તત્ત્વનો વિરોધ કરનારા અનેક નીકળે છે, એ જ એની મહત્તા સિદ્ધ કરે છે.

Master Admin

Leave a Comment

Translate »