Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામના યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પોરબંદર જિલ્લામાં એક વ્રુધ્ધ પોતાનું વાહન લઇને વનાણા ગામ જતા હતા ત્યારે અકસ્માતમાં તેમણે પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા.

અન્ય એક બનાવમાં તળાજા તાલુકાના રામપરા ગામના આર્મી મેન નાજાભાઈનું પણ બાઈક અકસ્માતમાં મોત થયું હતું. તેમના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ અન્ય જેમનાં જેમનાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના વિવિધ શ્રોતાઓ દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

Master Admin

પવિત્ર ચારધામમાં હવે હિન્દુઓની સાથે સાથે શીખ, બૌદ્ધ અને જૈનોને જ એન્ટ્રી

Master Admin

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા

Master Admin

Leave a Comment

Translate »