કેરોસીનનો ઉપયોગ રાંધવા તથા પ્રકાશ માટે જ કરી શકાશે
કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે દ્ગૈંઝ્ર દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીન વિતરણ કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. આ કેરોસીન ગ્રામીણ વિસ્તાર માટે રહેશે અને તેનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તથા પ્રકાશની વ્યવસ્થા કરવા માટે જ કરી શકાશે. પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીનનો પુરવઠો અપાશે. આ માટે કેરોસીનના પ્રતિ લિટરના ભાવ ૬૧.૯૬થી ૬૨.૬૯ નક્કી કરવામાં આવ્યા છે. ૧ ટેન્કર એટલે કે ૧૨ હજાર લીટર કેરોસીનની માગણી મળ્યા બાદ જથ્થો મોકલવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન ડિલર એસોસિયેશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે, જેમાં પરિવાર દીઠ ૫ લિટર તથા સંસ્થાઓ દીઠ ૨૫ લિટર વિતરણ કરવામાં આવશે. આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે.કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જે ગત સોમવારથી ચાલુ છે. જિલ્લાના દરેક ગ્રામીણ તાલુકામાં પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં પણ ૯ જેટલા પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં માંડલ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, બાવળા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા અને ધોલેરા તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછા ૧૨૦૦૦ લિટર કેરોસીનની (૧ ટેન્કર લોડ) ઓનલાઈન માગણી મળ્યેથી કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીન વિતરણ માટે ભાવ બાંધણી કરવામાં આવેલી છે. જે પ્રતિ લીટર ~ 61.96Úke ~ 62.69 વચ્ચે નિયત કરવામાં આવી છે.

