Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

રાહુલ ગાંધીના PM કોમ્પ્રોમાઇઝ્‌ડ નિવેદન ઉપર સંસદમાં હોબાળો

રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કટોકટીની અસરો વચ્ચે ભારતીય સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહ્યું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને રવિશંકર પ્રસાદ સામસામે આવી ગયા હતા.

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, “મને વારંવાર બોલતા રોકવામાં આવ્યો છે.

વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ્‌ડ (તડજોડ કરનારા) છે.” રાહુલના આ નિવેદન પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ ઉકળી ઉઠ્યા હતા અને જોરદાર અવાજે કહ્યું, “નેવર… નેવર… નેવર… પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે.” પ્રસાદે ઉમેર્યું કે વિપક્ષને પાયાની સમજણ પણ નથી.

આઝાદી પછી બીજી વખત સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. રવિશંકર પ્રસાદે ચર્ચાની શરૂઆત કરતાં ઈમરજન્સીના કાળા દિવસો યાદ કરાવ્યા હતા.

તેમણે કહ્યું કે, “સ્પીકરનું પદ અત્યંત ગરિમામય છે અને તેને રાજકીય હથિયાર ન બનાવવું જોઈએ.” આજે આ પ્રસ્તાવ પર ગૃહમંત્રી અમિત શાહ પણ સંબોધન કરી શકે છે અને અંતે વોટિંગ થશે.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે ચિંતા વ્યક્ત કરી કે વિદેશમાં વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે. આ સાથે તેમણે મિડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે એરલાઇન્સ કંપનીઓ લૂંટ ચલાવી રહી છે અને ટિકિટના ભાવ અનેકગણા વધી ગયા છે.
સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષે જોરદાર હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદો ગેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા હતા, જેના કારણે પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયાએ ગૃહની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
સંસદ શરૂ થતાં પહેલા પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ સંસદના મુખ્ય દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં જે કાપ મૂકાયો છે, તેના વિરોધમાં સાંસદોએ પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી તાત્કાલિક સપ્લાય શરૂ કરવાની માંગ કરી હતી.

Related posts

પંજાબઃ ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો

Master Admin

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

Master Admin

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »