Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ક્લીયર પ્રીમિયમ વોટરની પહેલથી રામદ ગામમાં પાણીની અછતનો ઉકેલ મળ્યો ગામના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું જેના કારણે ક્ષમતા વધીને 2.64 કરોડ લિટર થઈ ગઈ

 

 

અમદાવાદ: ગામડાઓમાં પાણીની અછત દૂર કરવા અને વરસાદી પાણીના બચાવ માટે CLEAR Premium Water એ YFLO અને ડ્રીમ્સ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થયેલી પહેલ હેઠળ સાબરકાંઠાના રામદ ગામના દેવલાલી તળાવનું સફળતાપૂર્વક નવસર્જન કર્યું છે. આ કામ જૂનના પહેલા અઠવાડિયામાં પુરૂં કરી દેવાતાં ચોમાસામાં તેનું અદભૂત પરિણામ જોવા મળે, તેવી આશા છે.

 

આ પ્રોજેક્ટ અંતર્ગત ગામ તળાવને 3થી 4 ફૂટ જેટલું ઊંડું કરવામાં આવ્યું, જેના પરિણામે તેની કુલ જળસંચય ક્ષમતા 2.64 કરોડ લિટરથી પણ વધુ થઈ ગઈ છે. આ વધારેલી ક્ષમતાને કારણે પાણીના બીજા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટશે. ખાસ કરીને તે 70 જેટલા ખેડૂત પરિવારોને સીધો લાભ આપશે, જે સિંચાઈ અને ઘરગથ્થું ઉપયોગ માટે આ તળાવ પર નિર્ભર છે.

 

ઘણા વર્ષોથી તળાવમાં કાંપ ભરાતા અને પુરતી જાળવણી ન થઇ શકતા તેની જળધારણ ક્ષમતા ઘટી ગઈ હતી. હવે જ્યારે હવામાનના ફેરફારોને કારણે વરસાદની પેટર્ન અનિયમિત બની છે, ત્યારે આ પ્રકારે તળાવ પુનઃસર્જન અનિવાર્ય બની ગયું હતું. આ પહેલ એ દર્શાવે છે કે સમાજને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી પાણી વ્યવસ્થાપનની યોજના કેવી રીતે ઓછા ખર્ચે સરળ રીતે અસરકારક બની શકે છે.

 

CLEAR Premium Water ના ફાઉન્ડર અને CEO નયન શાહ જણાવે છે કે  પાણીની અછત માત્ર ગામડાઓને લગતી જ સમસ્યા નથી. તે આપણા આરોગ્ય, અર્થતંત્ર અને ભવિષ્યની સુરક્ષા માટે એક મોટું જોખમ છે. CLEARમાં અમે માનીએ છીએ કે સાચું ટકાઉપણું ત્યારે જ શક્ય બનશે જ્યારે સમાજ પોતે જાગૃત રહે અને પોતાના સંસાધનોનું સંરક્ષણ કરે.

 

તેમનું કહેવું છે કે રામદ ગામના તળાવનું નવસર્જન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી — આ પાણીના બચાવ, ખેતીની ઉપજ અને સમુદાયની સુખાકારી માટેનું લાંબા ગાળાનું રોકાણ છે. જ્યારે બિઝનેસ, નાગરિક સમાજ અને સ્થાનિક લોકો સહકારથી એકજ દિશામાં કામ કરે, ત્યારે કેટલું શક્તિશાળી પરિવર્તન સર્જી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે

 

નવસર્જિત તળાવ ચાલુ ચોમાસા દરમ્યાન સંપૂર્ણ રીતે ભરાઇ જશે, તેવી આશા છે. તેનાથી વર્ષભર માટે પાણીના ખાતરીપૂર્વકના સ્ત્રોત તરીકે તે અકબંધ રહેશે. ખાસ કરીને ખેતી અને સ્થાનિક લોકોના રોજિંદા ઉપયોગ માટે તે ખૂબ જ ઉપયોગી બનશે.આ સાથે, આ પ્રોજેક્ટે સ્થાનિક સ્તરે સામૂહિક ભાગીદારી સાથે જવાબદારીનો ભાવ પણ વિકસાવ્યો છે, કારણ કે ગામના લોકોને આ કાર્યમાં સીધા જોડવામાં આવ્યા છે.

 

CLEAR Premium Water, YFLO, Dreams Foundation અને રામદ ગામનાલોકોનો આ સંયુક્ત પ્રયાસ લાંબા ગાળાનું પરિવર્તન લાવશે અને ભારત માટે જળ સરંક્ષણના એક મોડેલ તરીકે સ્થાપિત થશે.

Related posts

Ahmedabad Times Fashion Week 2024 off to a dazzling start

Reporter1

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1
Translate »