Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન

ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર

ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨ એપ્રિલ ૨૦૨૬ — આજે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ જોવા મળી રહ્યો છે.ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા દ્વારા ભીડ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.હિન્દુ ધર્મમાં ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે શક્તિપીઠ અને માતાજીના મંદિરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ખેડબ્રહ્માનું આ મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવતું હોવાથી અહીં દર વર્ષે પૂનમના દિવસે મેળા જેવો માહોલ સર્જાય છે.

Related posts

વિદ્યાર્થીએ જ મજાકમાં સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ

Master Admin

અમદાવાદમાં ૨૮ ફેબ્રુઆરીએ UFIT ફ્લો ફેસ્ટનું આયોજન

Master Admin

ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન!

Master Admin

Leave a Comment

Translate »