Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં

યુક્રેન પર ૪૨૦ ડ્રોન સાથે ભીષણ હુમલો

ઝેલેન્સ્કીએ અત્યંત વિપરીત વાતાવરણણાં પણ શાંતિ મંત્રણા ચાલુ રાખવાના ટ્રમ્પના પ્રયત્નોની પ્રશંસા કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
કિવ, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – યુક્રેને જણાવ્યું હતું કે જિનિવામાં અમેરિકા દ્વારા યોજાનારી શાંતિ મંત્રણા પૂર્વે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. લગભગ ૪૨૦ ડ્રોન અને ૩૯ બેલિસ્ટિક મિસાઇલ સાથે આ હુમલો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈનું નિધન તો થયું નથી, પરંતુ બાળકો સહિત ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેને પ્રતિનિધિઓ મંત્રણાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રશિયા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. રશિયાએ યુક્રેનના આઠ પ્રાંતમાં મુખ્યત્વે તેના ઊર્જા માળખાને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત ડઝનથી પણ વધુ લોકોને ઇજા થઈ હતી.ઝેલેન્સ્કીએ અત્યંત વિપરીત વાતાવરણણાં પણ શાંતિ મંત્રણા ચાલુ રાખવાના ટ્રમ્પના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આભાર માન્યો હતો. અમેરિકાની મધ્યસ્થીથી પ્રેરિત રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા જારી છે, પરંતુ રશિયા જેના પર દાવો કરે છે તે યુક્રેનિયન પ્રાંતને લઇને મડાગાંઠ સર્જાઈ છે. આ મુદ્દે બંને પક્ષમાંથી કોઈપણ નમતુ જોખવા તૈયાર નથી. ઝેલેન્સ્કી પર રશિયાના પ્રમુખ પુતિન સાથે સીધી વાતચીત કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે સામસામે બેસીને સીધી વાતચીત કરવાથી હકારાત્મક નીવેડો આવી શકે છે, પરંતુ ક્રેમલિને જ તેના માટેનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે યુક્રેનના પ્રમુખને તેમને ત્યાં આમંત્રણ આપવાનો જ ઇન્કાર કરી દીધો છે. વોશિંગ્ટને યુદ્ધ છતાં પણ એક વર્ષથી ચાલતી મંત્રણાને બંધ થવા દીધી નથી, બીજી બાજુ રશિયાએ હુમલા પણ બંધ કર્યા નથી. યુક્રેન અને યુરોપીયન સત્તાવાળાઓ પુતિન પર વારંવાર શાંતિ મંત્રણા ખોરવી નાખવાનો આરોપ લગાવતા રહ્યા છે. તેમને આશા છે કે અમેરિકા દ્વારા લગાવવામાં આવનારા વધારે પ્રતિબંધ રશિયાની આગેકૂચને અટકાવી શકશે. રશિયાએ યુક્રેનના મૃત્યુ પામેલા ૧૦૦૦ સૈનિકોના મૃતદેહ પરત કર્યા છે તો બદલામાં તેમના ૩૫ સૈનિકોના મૃતદેહ પરત મેળવ્યા છે. જો કે બંને દેશોએ જણાવ્યું હતું કે આ આપલે ક્યારે થઈ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કીવ અને દનિપ્રોપેટ્રોવ્સ્ક પ્રાંતમાં ગેસ ઇન્ળાસ્ટ્રકચર અને વીજ સબસ્ટેશનો પર હુમલા કર્યા હતા. યુક્રેનિયન વિદેશ પ્રધાને પશ્ચિમી દેશોને યુક્રેનને હજી વધુ લશ્કરી સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી.રશિયાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનના ૧૭ ડ્રોન તોડી પાડયા છે. જ્યારે યુક્રેન રશિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવી રહ્યું છે.

Related posts

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા

Master Admin

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય

Master Admin

Leave a Comment

Translate »