Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ફરીથી ૧૨ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ

એકસાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૨૬ માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફારની વકી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ માર્ચ ૨૦૨૬ — ઉત્તર ભારત માટે ડબલ સારા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત બે પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાના છે, જેની અસર ૨૬ માર્ચથી અને ૨૮ માર્ચથી ફરીથી અનુભવાશે તેવી અપેક્ષા છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ની નવીનતમ આગાહી અનુસાર, આ બે પશ્ચિમી વિક્ષેપોની સાથે, અનેક સાઇક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ સિસ્ટમ્સ પણ સક્રિય છે. પરિણામે, દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદ, વાવાઝોડું, વીજળી અને જોરદાર પવનનો અનુભવ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાન, મધ્ય પ્રદેશ, આસામ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગો પર સ્થિત સાઇક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ લાઇન હવામાનને અસ્થિર બનાવી રહી છે. આ અસ્થિરતાની અસરો ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધી ફેલાયેલા વિશાળ પ્રદેશમાં અનુભવાશે. ત્યારે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની પણ આગાહી કરી છે તે જોઈએ. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૨૬ માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. વધુમાં ૩૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજો પશ્ચિમી વિક્ષેપ ૨૮મી માર્ચની રાત્રે સક્રિય થવાનો છે, જે ૨૮ માર્ચથી ૩૦ માર્ચ વચ્ચે વરસાદની ભૌગોલિક મર્યાદાને વધુ વિસ્તૃત કરશે. આ સમયગાળા દરમિયાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો અહીં આગામી ૩૦મી માર્ચ સુધીમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી આપવામાં આવી નથી.

ગુજરાતમાં તાપમાન અંગેની વાત કરીએ તો, મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ આગામી ૩૦મી તારીખ સુધી તાપમાન યથાવત રહેશે. તો લઘુત્તમ તાપમાનમાં કોઈપણ મોટા ફેરફારની કોઈ આગાહી આપવામાં આવી નથી.

Related posts

દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી

Master Admin

શ્રીનગરમાંથી ૨ પાકિસ્તાની સહિત ૫ આતંકીઓ ઝડપાયા

Master Admin

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, બોર્ડર હવે બીએસએફને હવાલે

Master Admin

Leave a Comment

Translate »