Nirmal Metro Gujarati News
article

યૂ જી સી કાયદો બીજેપીનું આત્મઘાતી પગલું હશે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ

આમ તો સુપ્રીમ કોર્ટ દ્વારા યૂ જી સી કાયદા પર અત્યારે રોક લગાવી દેવામાં આવી છે પરંતુ જો આ કાયદો આ જ સ્વરૂપે લાગુ થઈ જાય તો તે આવનારા સમયમાં બીજેપી માટે વિનાશકારી પગલું હશે. બીજેપીનો કોર વોટર સવર્ણ વર્ગ જ છે અને બીજેપીને સત્તા આ જ વર્ગના વોટ પર મળતી આવી છે. મુસ્લિમ સમુદાય બીજેપીને વોટ નથી આપતો. તેવી જ રીતે અનુસૂચિત જાતિના વોટ કોંગ્રેસ અને વિપક્ષી દળોને મળે છે. ઓબીસીના કેટલાક વોટ બીજેપીને મળે છે. પરંતુ સવર્ણ વર્ગના ૯૦ ટકા વોટ સીધા બીજેપીને મળે છે અને આ વર્ગના વોટના આધારે બીજેપી સત્તામાં બનેલી છે. પરંતુ યૂ જી સી કાયદાથી ઉચ્ચ વર્ગમાં વ્યાપક રોષ ફેલાયેલો છે. જો સવર્ણોના વોટ બીજેપીને નહીં મળે તો બીજેપીનું સત્તા પરથી હટવું નક્કી છે. બીજેપીનો ઉદય જ સવર્ણોના વોટ પર થયો હતો. બીજેપી માટે કહેવામાં આવતું હતું કે આ ઉચ્ચ જાતિ અને વાણિયાઓની પાર્ટી છે અને શરૂઆતના દિવસોમાં આ સત્ય પણ હતું. ધીરે ધીરે બીજેપીનો વ્યાપ વધતો ગયો અને તે હિન્દુવાદી પક્ષ તરીકે સ્થાપિત થતો ગયો જેનો તમામ શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે જેમણે હિન્દુવાદના નામે રાષ્ટ્રવાદી વિચારધારાને અમલી બનાવ્યો. આ લોકો સારી રીતે જાણતા હતા કે રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ હિન્દુઓના વોટ એકત્રિત કરી શકાય છે.

પરંતુ હવે ધીરે ધીરે એ એહેસાસ થવા લાગ્યો કે તેમને પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરાંત ઓબીસીના વોટ પણ જોઈએ છે તેથી યૂ જી સી ના ઓઠા હેઠળ તે મતદારોને સાધવા પણ જરૂરી હતા. એવું બની જ ના શકે કે વડાપ્રધાનના ધ્યાન પર લાવ્યા વગર ધર્મેન્દ્ર પ્રધાન આટલું સાહસ કરી શકે. સુપ્રીમ કોર્ટે જ આ ઓર્ડર પાસ કર્યો હતો કે ૨૦૧૨ ના યૂ જી સી ના કાયદામાં કંઈક પરિવર્તન કરવું જોઈએ પરંતુ આ પ્રકારના ડ્રાફ્ટની કલ્પના સુપ્રીમ કોર્ટે પણ નહોતી કરી જેમાં બંધારણના મૌલિક અધિકારોનું હનન થાય છે. આ કાયદો ખૂબ જ ખતરનાક છે અને તેના દુરુપયોગ થવાની પુષ્કળ શક્યતાઓ આ બિલમાં છે. આનાથી સવર્ણ જાતિના બાળકોનું ભવિષ્ય બરબાદ થવાની અપાર ગુંજાઈશ છે. આ મંડલ કમિશન પછી સવર્ણો અને પછાત વર્ગોમાં વૈમનસ્ય પેદા કરનારો કાયદો છે અને તેને રદ્દીની ટોપલીમાં ફેંકી દેવો જોઈએ. જો આ કાયદો લાગુ થાય છે તો બીજેપીના શબપેટીમાં આ છેલ્લો ખીલો સાબિત થશે અને બીજેપીનું સત્તાની બહાર જવું નક્કી છે.

માત્ર જનસંખ્યાના આધારે કંઈ થતું નથી. જો જનસંખ્યા જ મહત્વની હોત તો બહુજન સમાજ પાર્ટી દેશની સત્તા પર કાબિજ હોત અથવા બિહારમાં લાલુ પ્રસાદનું જ રાજ હોત. રાજનીતિમાં સીધું સાદું ગણિત નથી હોતું. જનસંખ્યાના આધારે બધું નક્કી નથી થતું, વિચારધારા પણ મહત્વની હોય છે. મુસલમાનોના એકતરફી વોટ બીજેપીની વિરુદ્ધ જાય છે અને આનાથી જ બીજેપીને ફાયદો થાય છે કારણ કે આનાથી હિન્દુ વોટોનું ધ્રુવીકરણ થાય છે. જો મુસલમાન પણ બીજેપીને વોટ કરે તો હિન્દુઓના વોટ બાકી દળોમાં વહેંચાઈ જશે જેનાથી બીજેપીને નુકસાન થશે. બીજેપી મુસલમાનો પ્રત્યે નફરત ફેલાવીને હિન્દુઓના વોટ લે છે અને ઓવૈસી જેવી પાર્ટી હિન્દુઓનો ડર બતાવીને મુસલમાનોના વોટ હાંસલ કરે છે. હવે તો ભારતમાં આ જ ટ્રેન્ડ બધી જગ્યાએ લાગુ થઈ રહ્યો છે. હવે ભારતનો મુસલમાન સેક્યુલર દળોને વોટ આપવાને બદલે પોતાની કોમની પાર્ટીઓને વોટ આપવો વધુ યોગ્ય સમજી રહ્યો છે. હવે એ જમાનો જતો રહ્યો જ્યારે મુસલમાનોના વોટ સમાજવાદી પાર્ટી કે આર જે ડી જેવા દળોને એકતરફી મળતા હતા. હવે દેશનો મુસલમાન પણ સમજદાર થઈ ગયો છે.

તેવી જ રીતે હવે બીજેપીના ટોચના નેતૃત્વએ વિચારવું પડશે કે તેણે પોતાના કોર વોટરને નારાજ નથી કરવાના નહીંતર તેના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન લાગી જશે. પોતાના મૂળિયાં મજબૂત કરવામાં જ ભલાઈ છે નહીંતર સત્તાની બહાર જતા વાર નહીં લાગે. બીજેપીના ટોચના નેતૃત્વએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. આ પ્રકારનો કાયદો કેવી રીતે બન્યો જેમાં આટલી બધી વિસંગતતાઓ છે. શું આના માટે માત્ર અધિકારી વર્ગ જવાબદાર છે કે ધર્મેન્દ્ર પ્રધાન પણ એટલા જ દોષી છે. જોકે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ક્લીનચિટ આપી શકતો નથી. તેમનો દાવ આ વખતે ઊંધો પડ્યો છે. આ પ્રકારના વિનાશકારી પગલાંથી બીજેપીએ બચવું જોઈએ. બીજેપીએ પોતાના કોર વોટર પર જ ફોકસ કરવું જોઈએ. તે જ મતદારોના કારણે બીજેપી આજે દેશમાં સત્તાના ટોચ પર છે. આમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની કોઈ જરૂર નથી.

Related posts

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ,સ્પર્ધા નહીં. આપણા બધાનો આધાર પાદૂકા છે. લાભશંકર પુરોહિતને વ્યાસપીઠ તરફથી શ્રધ્ધાંજલિ અપાઇ

Reporter1

Reporter1

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે

Master Admin

Leave a Comment

Translate »