Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રાહુલ ગાંધીએ કોંગ્રેસને ખતમ કરવાની સોપારી લીધી છે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ

તાજેતરમાં દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટમાં કોંગ્રેસીઓ દ્વારા જે શરમજનક પ્રદર્શન થયું તે કોંગ્રેસના માનસિક દેવાળિયાપણાને દર્શાવે છે. દેશના વિપક્ષના નેતા માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયા છે. મોદી વિરોધમાં તેઓ દેશદ્રોહીનું કામ કરવા પર ઉતરી આવ્યા છે. રાહુલ ગાંધી આ વાતને પચાવી શકતા નથી કે ભારતની જનતાએ તેમને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કોંગ્રેસને પાછલી ચૂંટણીમાં જે ૯૯ બેઠકો મળી હતી તેનું કારણ ભાજપ દ્વારા એ પ્રચારિત કરવું હતું કે ‘અબકી બાર ચાર સો પાર’ નો નારો હતો. ભાજપના મતદારો એ ભ્રમમાં રહી ગયા હતા કે ભાજપને ૪૦૦ બેઠકો મળી જ જશે, તેથી ઘણી જગ્યાએ ભાજપના મતદારો ઘરોમાંથી બહાર જ ન નીકળ્યા. બધા એવું જ સમજતા રહ્યા કે મારા એકલાના મત ન આપવાથી કોઈ ફરક પડવાનો નથી, પરિણામ એ આવ્યું કે ભાજપને ૨૫૦થી ઓછી બેઠકો પર સમેટાઈ જવું પડ્યું. જો આવું ન થયું હોત તો કોંગ્રેસ ૪૦થી ઓછી બેઠકો પર સમેટાઈ જાત. જે વ્યક્તિનું આખું જીવન રાજકીય વાતાવરણમાં વીત્યું હોય તેને રાજનીતિનું ક ખ ગ પણ ન આવડતું હોય તે વિડંબણા સિવાય બીજું કંઈ નથી. રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ જેવા દેશદ્રોહીઓના હાથનું રમકડું બની ગયા છે. આ વ્યક્તિ પર એનએસએ લગાવીને જેલમાં બંધ કરવો જોઈએ. સંસદનું દરએક સત્ર હંગામાનો ભોગ બની ગયું. જે પુસ્તક હજુ પ્રકાશિત નથી થયું તેના પાનાઓનો ઉલ્લેખ કરવા માટે રાહુલ ગાંધી અડગ રહ્યા. ફાયદો કંઈ થયો નહીં પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી કારણ વગર હંગામા કરતા રહ્યા. અહીં અધ્યક્ષની ભૂલ રહી કે તેમને માર્શલ દ્વારા આ લોકોને સદનમાંથી બહાર કઢાવવા જોઈતા હતા. આ અધ્યક્ષની જવાબદારી છે કે સદનને સુચારુ રૂપથી ચલાવે. સંસદમાં કોઈ સાંસદને બૂમાબૂમ કરવાની મંજૂરી ન હોવી જોઈએ. લોકતંત્રનો મતલબ એ કદાપિ નથી કે કોઈ તેને અરાજકતંત્રમાં બદલી દે. રાહુલ ગાંધી એક જિદ્દી બાળકની જેમ વર્તન કરે છે. તેઓ સંસદને પોતાના ઘરનો ડ્રોઈંગ રૂમ સમજે છે. રાહુલ ગાંધી અર્બન નક્સલવાદીઓના પ્રભાવથી ગ્રસિત છે. ખરેખર રાહુલ ગાંધી પોતાના આચરણથી આખી કોંગ્રેસને ખતમ કરી દેવા માંગે છે. આજે બે ત્રણ રાજ્યોને છોડીને આખા ભારતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આવનારા સમયમાં જો રાહુલ ગાંધી કોંગ્રેસની બાગડોર પોતાના હાથમાં રાખશે તો કોંગ્રેસનો સફાયો આ દેશમાંથી થઈ જશે. કોંગ્રેસની બાગડોર કોઈ સશક્ત નેતાના હાથમાં સોંપવી જોઈએ. આ વગર કોંગ્રેસનું ભારતીય રાજનીતિમાં પોતાનું સ્થાન જાળવી રાખવું ખૂબ મુશ્કેલ છે. રાહુલ ગાંધીની છબી સીધી રીતે દેશદ્રોહીવાળી થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ સીધી રીતે રાજનીતિમાંથી સન્યાસ લેવો જોઈએ. પ્રિયંકા ગાંધીથી લોકોને જે થોડી ઘણી આશા હતી. પરંતુ તેણે પેલેસ્ટાઈનના મામલામાં પોતાના વલણથી દેશના લોકોને નિરાશ કર્યા છે. આજના સમયમાં આપણે ઇઝરાયેલ સાથે જ ઊભા રહેવું જોઈએ. પેલેસ્ટાઈનમાં હમાસ જેવા આતંકવાદી સંગઠનનો કબજો છે. અને આપણે આતંકવાદનું કદાપિ સમર્થન કરી શકતા નથી. કોંગ્રેસ ખરેખર મુસલમાનોના મત માટે કોઈપણ હદ સુધી નીચે ઉતરી શકે છે. પરંતુ હવે ફક્ત મુસલમાનોના મતથી કંઈ થવાનું નથી. ભાજપે સીધી રીતે હિંદુઓના મતનું ધ્રુવીકરણ કરી દીધું છે. ભાજપ હવે ખુલ્લેઆમ ફક્ત હિંદુઓની વાત કરે છે જેનાથી બહુસંખ્યક હિંદુ ભાજપના પક્ષમાં ઊભા છે. મુસલમાનોનો મત પણ પ્રાદેશિક પક્ષોમાં વિભાજિત થાય છે. મુસલમાનોનો એકતરફી મત હવે ફક્ત કોંગ્રેસના પક્ષમાં જતો નથી દેખાઈ રહ્યો. મુસલમાનોના મત વિભાજનથી ભાજપને સીધી રીતે ફાયદો થાય છે. હવે મુસલમાન મતદારો પણ મૂંઝવણમાં રહે છે કે તેઓ કઈ પાર્ટીને મત આપે. પશ્ચિમ બંગાળને છોડી દઈએ કારણ કે ત્યાં મુસલમાનોનો મત ટીએમસીને જ મળે છે પરંતુ ઉત્તર પ્રદેશમાં મુસલમાનોનો મત સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને એઆઈએમઆઈએમ જેવી પાર્ટીઓમાં વિભાજિત થઈ જાય છે અને તેનો ફાયદો ભાજપને મળવો સ્વાભાવિક છે. આવનારા ઉત્તર પ્રદેશના ચૂંટણીમાં યોગી આદિત્યનાથ માટે રસ્તો સાફ છે. જો કોંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધીના હાથમાં રહ્યું તો કોંગ્રેસને ૧૦-૨૦ બેઠકો મળી જાય તો તેને ખુશ થઈ જવું જોઈએ. અખિલેશ યાદવ ગમે તેટલા પ્રયત્નો કરી લે તેઓ ભાજપનો મુકાબલો નહીં કરી શકે. યોગી મોડલ હવે હિટ થઈ ગયું છે. યોગી આદિત્યનાથ હવે મોદીજી પછી કેન્દ્ર સરકારના શીર્ષ પર જવાના છે. આવનારા સમયમાં ભાજપને કોઈ પણ વિપક્ષી પક્ષ પડકાર આપવાની સ્થિતિમાં નથી. તેમ છતાં દેશભરમાં હજુ પણ કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે સ્થાપિત છે પરંતુ કોંગ્રેસની સમસ્યા તેના નેતૃત્વની છે. કોંગ્રેસને હવે ગાંધી પરિવારથી કિનારો કરવામાં જ ફાયદો છે. કોંગ્રેસમાં એ ક્ષમતા જ નથી કે તે ભાજપની જેમ કોઈ નીતિન નવીન જેવા વ્યક્તિને પોતાના અધ્યક્ષ બનાવી શકે. ખડગે ફક્ત નામ માત્રના અધ્યક્ષ છે. તેઓ પોતાના સ્તર પર કોઈ નિર્ણય લઈ શકતા નથી. તેમ છતાં ભાજપમાં પણ બધા નિર્ણયો મોદી અને શાહ જ લે છે. આમના આગળ કોઈની ચાલતી નથી. ફરક ફક્ત એટલો જ છે કે આ નિર્ણય શુદ્ધ રૂપે દેશ હિતમાં હોય છે. સત્તાના શીર્ષ પર જે રહે છે તે જ બધા નિર્ણયો લેવા લાગે છે. આવું દરેક સમયમાં થતું રહ્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો અમિત શાહ અને મોદીજી વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા હતા. ઘણા ખોટા કેસમાં આરોપીઓ નિર્દોષ પણ સાબિત થઈ જાય છે પરંતુ થોડા સમય માટે તેઓ પરેશાન જરૂર થાય છે. એવી કોઈ વ્યવસ્થા હજુ સુધી બની નથી જેમાં ખોટા આરોપ લગાવવા પર કોઈ ત્વરિત ન્યાય મળી શકે. કોર્ટમાં કેસ વર્ષો સુધી પેન્ડિંગ રહે છે. જો આરોપી નિર્દોષ પણ સાબિત થઈ જાય છતાં પણ તેનો વીતી ગયેલો સમય કોઈ પાછો લાવી શકતું નથી. ખરેખર આપણે ન્યાય પ્રણાલીને સુધારવી પડશે જેથી ન્યાય ઝડપથી થઈ શકે. ન્યાયાલયમાં ન્યાયાધીશોની ભારે અછત છે. આને સરકારે દૂર કરવી જોઈએ.

 

Related posts

Unnati Coffee Partners with Tribal Communities in Odisha to Promote Sustainable Agriculture and Ecotourism

Reporter1

AstaGuru to Present ‘Unveiling Legacies’—A Grand Preview of Modern Indian Art in Ahmedabad

Reporter1

30 જાન્યુઆરી શહીદ દિવસ: રાષ્ટ્રનો આત્મા તેના શહીદોમાં રહે છે, અને જ્યાં સુધી આપણે તેમને યાદ રાખીશું, ત્યાં સુધી ભારતની ચેતના જીવંત રહેશે.

Master Admin

Leave a Comment

Translate »