Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Educationnational

પેપર લીક બાદ મોટો નિર્ણય, આગામી વર્ષથી ઓનલાઈન લેવાશે NEETની પરીક્ષા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે દોષિતોને પાતાળમાંથી પણ શોધી લેવામાં આવશે : NEET પરીક્ષાના પેપર લીક કાંડે દેશને હચમચાવી દીધો છે

(સંપૂર્ણ સમાચાર સેવા) 
નવી દિલ્હી, તા.૧૫ મે ૨૦૨૬ — NEET પરીક્ષાના પેપર લીક કાંડે દેશને હચમચાવી દીધો છે અને વિદ્યાર્થીઓ વચ્ચે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ બબાલ વચ્ચે આજે પ્રથમવાર કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મીડિયા સામે આવ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે દોષિતોને પાતાળમાંથી પણ શોધી લેવામાં આવશે. મહત્વનું છે કે શિક્ષણ મંત્રીની પત્રકાર પરિષદ પહેલા દ્ગ્‌છએ સોશિયલ મીડિયા પર નવી તારીખો જાહેર કરી દીધી હતી. ૨૧ જૂને ફરી નીટની પરીક્ષા લેવાશે. એડમિટ કાર્ડથી લઈને પરીક્ષા કેન્દ્રોની જાણકારી એનટીએ તરફથી આપવામાં આવશે. આ સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી વર્ષથી નીટની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયાને સંબોધિત કરતા કહ્યુ કે ગેસ પેપર લીક થવાના ૩થી ૪ દિવસનો સમય લેવામાં આવ્યો, ત્યારબાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી જેથી કોઈ વિદ્યાર્થીએ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. તેમણે કહ્યું કે આજે અમે નવી તારીખની સાથે આવ્યા છીએ. આજથી એક મહિના બાદ નવી પરીક્ષા યોજાશે. અમારો અપ્રોચ તે રહેશે. પરીક્ષા માફિયાઓની સાથે અમારી લડાઈ છે. વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર ભ્રમિત કરનાર તથ્યો રાખવામાં આવે છે, ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેનાથી બચવું જરૂરી છે. તેવામાં સરકારે તત્કાલ સીબીઆઈને તપાસ સોંપી. આ વખતે સીબીઆઈ ઉંડાણ સુધી જશે અને ગેરરીતિની માહિતી મેળવશે. મંત્રીએ કહ્યું કે એજન્સી આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. જે પણ ગુનેગારો ફરી રહ્યાં છે, તે આવનારી પરીક્ષામાં દૂર ન થયા તો તેણે દંડ ભોગવવો પડશે.

અમે સમયમાં નીટની નવી તારીખો જાહેર કરી છે. જ્યારથી પેપર લીકની વાત સામે આવી છે, ત્યારથી અમે તેના પર નજર રાખી રહ્યાં છીએ. તે માટે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. જ્યારે પરીક્ષાને એડમિટ કાર્ડ ૧૪ જૂન સુધી જારી કરવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે આ ઘટનાથી દુખી છીએ, પંતુ એક મોટા ઉદ્દેશ્યને જોતા નિર્ણય લેવો પડ્યો જેથી અન્યાય ન થાય. અમને અનેક સૂચન મળ્યા છે. એનટીએમાં ઝીરો એરર હોય તે અમારી જવાબદારી છે. એનટીએ દર વર્ષે એક કરોડ બાળકોની પરીક્ષા કરાવે છે. વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ ન પડે તેની જવાબદારી અમે લઈએ છીએ. એનટીએએ નક્કી કર્યું છે કે અમે વિદ્યાર્થીઓને પોતાના પસંદગીના શહેરમાં પરીક્ષા આપવાની તક આપીશું. તેમણે આગળ કહ્યું કે તપાસ દરમિયાન ૧૨ મે સુધી તે સ્પષ્ટ થઈ ગયું કે ગેસ પેપરના નામ પર અસલી પ્રશ્નપત્રના સવાલ બહાર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર નથી ઈચ્છતી કે શિક્ષણ માફિયાઓને કારણે કોઈ ઈમાનદાર અને મહેનતું વિદ્યાર્થીનો હક છીનવી લેવામાં આવે.

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો, એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

Master Admin

બીએસઈ અને એનએસઈના મેઇનબોર્ડ પર સૂચિબદ્ધ થયું ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA Solar)નું શેર

Master Admin

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને સહાય આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા

Master Admin

Leave a Comment

Translate »