Nirmal Metro Gujarati News
article

વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ

 

 

સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઇ છે.
વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી. જેમાં આશરે 800 જેટલાં બાઈક, 30 જેટલી કાર જોડાઈ હતી.
પ્રતીકભાઈ પટેલ સંગઠનના જાણકાર,જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા અને વટવાના નગરજનોમાં આગવી છાપ ધરાવતા નવયુવાન હોવાથી આ અભિવાદન યાત્રાનું વિસ્તારના વિવિધ સ્થાનો પર ઢોલનગારા, ડીજે, ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વટવા ગામ ખાતે પોહચેલી અભિવાદન યાત્રામાં ગામની માતા-બહેનો એ પોતાના લાડકા પ્રતીકના ઓવારણાં લઇ રાષ્ટ્રસેવામાં અવિરત કાર્યરત રહેવા આશીર્વાદ આપ્યા હતા.
યાત્રા દરમિયાન પ્રતીકભાઈ પટેલે પોતાની પર વિશ્વાસ મૂકી પ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માની વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવા સતત સક્રિય રહેશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

Related posts

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી યશોમતીજી જોડાયાં હતાં અને શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. પ્રથમ દિવસે શ્રી વેદપ્રકાશ મિશ્રજીનાં સંચાલન સાથે વક્તાઓમાં જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી નરહરિદાસજી મહારાજ, શ્રી અખિલેશ ઉપાધ્યાયજી, શ્રી યશોમતીજી, જગતગુરુ શ્રી શ્રીધરાચાર્યજી, શ્રી શશી શેખરજી, શ્રી ઉમાશંકર વ્યાસજી અને શ્રી રામહૃદયદાસજી દ્વારા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવેલ. પ્રારંભે શ્રી હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાત કરેલ. સોમવારથી બુધવાર દરમિયાન યોજાયેલ સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે ગુરુવારે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.

Reporter1

આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે,કોઇ માને ન માને અલગ વાત છે

Reporter1

Spies. Duty. Sacrifice. Can They Keep India… Ek Kadam Aage?

Reporter1
Translate »