Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું

એક જ છત નીચે તમામ મંત્રાલયો

મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે નિર્ણય લીધો, પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો નિર્ણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.

આજથી વડાપ્રધાનનું કાર્યાલય રાયસીના હિલ્સ સ્થિત સાઉથ બ્લોકથી સેવા તીર્થમાં શિફ્ટ થઈ જશે. સેવા તીર્થમાં જ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સચિવાલય તથા કેબિનેટ સચિવાલય પણ છે. સેવા તીર્થના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ૪ મોટા નિર્ણય લીધા. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ અને મુખ્ય સચિવ પીકે મિશ્રા અને શક્તિકાંત દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવેથી પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત કર્તવ્ય ભવન-૧ અને ૨ માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.

પીએમ રાહત યોજના : આ દરેક નાગરિક માટે જીવનરક્ષક સુરક્ષા યોજના છે. વડાપ્રધાન મોદીએ પીએમ રાહત યોજના શરૂ કરવાને મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને કોઈપણ રોકડ ચુકવણી વિના સારવાર મળશે. જેમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈનું મૃત્યુ ન થાય. આ નિર્ણય યુવાનો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપનારો છે.

લખપતિ દીદીનો ટાર્ગેટ ડબલ : સરકારે પહેલાથી જ ૩ કરોડ લખપતિ દીદીઓનો આંકડો પાર કરી લીધો છે. આ મૂળ લક્ષ્ય માર્ચ ૨૦૨૭ના એક વર્ષ પહેલા પ્રાપ્ત થયું. હવે વડાપ્રધાનએ એક નવો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. જે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દીદી બનાવવાનું છે. આનાથી ગ્રામીણ મહિલાઓની આર્થિક શક્તિમાં વધુ વધારો થશે.

ખેડૂતો માટે ભેટ : આ નિર્ણયોમાં ખેડૂતો માટે પણ ભેટ છે. પીએમ મોદીએ ખેડૂતોને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ખેડૂતો માટે હાલનું ફંડ ૧ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધારીને ૨ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આનાથી કૃષિની વેલ્યુ ચેન ઉત્પાદનથી લઈને સંગ્રહ અને માર્કેટિંગ સુધી મજબૂત બનશે. ખેડૂતોને વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ અને સુવિધાઓ મળશે.

સ્ટાર્ટઅપ ફંડિંગમાં પણ વધારો થયો : ભારતના ઈનોવેશન ઈકોસિસ્ટમ, ખાસ કરીને ડીપ ટેકનોલોજી, પ્રારંભિક તબક્કાના વિચારો, અદ્યતન ઉત્પાદન અને અત્યાધુનિક ટેકનોલોજીઓને સશક્ત બનાવવા માટે વડાપ્રધાનએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ફંડ સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ર્હ્લહ્લ ૨.૦ને મંજૂરી આપી છે. આનાથી યુવાનોને તેમના નવા આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવવા માટે ફન્ડિંગ મેળવવાનું સરળ બનશે.

એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થ ખાતે સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરતા નિર્ણયો સંબંધિત મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ શુક્રવારે દિલ્હીમાં સેવા તીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સ્થિત છે. સેવા તીર્થ પરિસરની દિવાલ પર નાગરિક દેવો ભવ સૂત્ર અંકિત થયેલ છે. કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, નવી ઇમારતો ભારતના વહીવટી શાસન માળખાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

AAP એ રાઘવ ચડ્ઢાને આપ્યો ઝટકો, ઉપનેતા પદેથી હટાવ્યા

Master Admin

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય

Master Admin

Leave a Comment

Translate »