Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Health Carenational

૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ

ESICએ ૧ કરોડ લોકોને આપી મોટી ભેટ 

હાલમાં ESIC પાસે ૧૬૬ હોસ્પિટલો, ૧૭ મેડિકલ કોલેજો અને લગભગ ૧,૬૦૦ ડિસ્પેન્સરીનું નેટવર્ક છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ એક કરોડથી વધુ લોકોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં ESICએ મંગળવારે ૪૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના પોતાના ૧ કરોડથી વધુ સભ્યો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમની શરૂઆત કરી છે.ESICએ પોતાની સ્થાપનાની ૭૫મી વર્ષગાંઠ પર આ પહેલ શરૂ કરી છે. નવા લેબર કોડ પ્રમાણે કામદારોના સ્વાસ્થ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે, ESICની આરોગ્ય વીમા યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ લગભગ ૩.૮ કરોડ સભ્યો છે, જેમાંથી લગભગ એક કરોડ સભ્યોની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે. હાલમાં ESIC પાસે ૧૬૬ હોસ્પિટલો, ૧૭ મેડિકલ કોલેજો અને લગભગ ૧,૬૦૦ ડિસ્પેન્સરીનું નેટવર્ક છે.

ગત વર્ષે નવેમ્બરમાં જે નોટિફિકેશન બહાર પડ્યું તે મુજબ નવી શ્રમ સંહિતાઓ હેઠળ ૪૦ વર્ષથી વધુ ઉંમરના કામદારોની ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ કરાવવી નોકરીદાતાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમે પણ ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ લોન્ચ કરી છે. આ ફ્રી હેલ્થ ચેકઅપ હવે માત્ર એક સુવિધા નથી, પણ નોકરીદાતાઓ માટે એક કાનૂની જવાબદારી બની ગઈ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કામદારો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, આ પગલું કામદારોના કલ્યાણને મજબૂત બનાવશે. ESICએ સુધાર અને પ્રદર્શનનો અભિગમ અપનાવતા અને સેવા વિતરણમાં વધુ સુધારો કરવા માટે સામૂહિક સંકલ્પ લેવો જોઈએ. માંડવિયાએ ESIC હોસ્પિટલોમાં દવાઓ, સાધનો અને ડોકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાના મામલા ઓછા રાખવા માટે આતંરિક સુવિધાઓ વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ESICએ પોતાના ધોરણોને AIIMS જેવી ટોચની સંસ્થાઓના સ્તરે લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

આ ઉપરાંત રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ESIC વચ્ચે ESI યોજનાને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકલિત કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે. આનો હેતુ સંકલિત સ્વાસ્થ્ય સેવા વિતરણને મજબૂત બનાવવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ સુધી પહોંચનો વિસ્તાર કરવાનો છે.

Related posts

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી ૨૫ કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો

Master Admin

૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ

Master Admin

ભારતની પ્રથમ સ્પિન રેવ ઇવેન્ટ કવિશા યુફિટ ફ્લો ફેસ્ટમાં 1,000 થી વધુ લોકોએ ભાગ લીધો, જેમાં એક સમયે 100 થી વધુ લોકોએ સ્પિન કર્યું

Master Admin

Leave a Comment

Translate »