Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

કેદારનાથ યાત્રા પર જનાર માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ

કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર

આજથી એટલે કે ૧૧ એપ્રિલ, શનિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ

(સંપૂર્ણ સમાચાર સેવા)
દેહરાદુન, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — વર્ષ ૨૦૨૬માં ચારધામ યાત્રાનો પ્રારંભ ૧૯ એપ્રિલથી થઈ રહ્યો છે, જ્યારે બાબા કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ૨૨ એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આજથી એટલે કે ૧૧ એપ્રિલ, શનિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કરવા માંગતા હોય, તેઓ ઓનલાઈન માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે.
ટિકિટ બુકિંગમાં પારદર્શિતા જળવાય અને છેતરપિંડી અટકે તે માટે વહીવટીતંત્ર દ્વારા માત્ર IRCTCની સત્તાવાર વેબસાઇટ heliyatra.irctc.co.in પર જ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ અન્ય કોઈ વેબસાઇટ કે એજન્ટ દ્વારા ટિકિટ બુક ન કરવા વિનંતી કરવામાં આવી છે. બુકિંગ કરવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ, હેલીપેડ અને સમયનો સ્લોટ પસંદ કરી, યાત્રીઓનું નામ, ઉંમર અને આધાર કાર્ડ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, આ માટે ઉત્તરાખંડ પર્યટન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.

કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા ત્રણ મુખ્ય સ્થળોએથી સંચાલિત થાય છે, જેમાં આવવા-જવા બંનેનું ભાડું નીચે મુજબ છેઃ
ગુપ્તકાશીથી કેદારનાથઃ અંદાજે ૧૨,૭૬૨ રૂપિયા
ફાટાથી કેદારનાથઃ અંદાજે ૧૦,૧૬૪ રૂપિયા
સિરસીથી કેદારનાથઃ અંદાજે ૬,૩૯૦ રૂપિયા

શ્રદ્ધાળુઓ પોતાની અનુકૂળતા મુજબ આ સ્થળો પરથી હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ બાબા કેદારના દર્શન કરી શકશે. આ યાત્રા ભારત માટે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે અને ડિજિટલ બુકિંગને કારણે યાત્રીઓ માટે આ પ્રક્રિયા વધુ સરળ બની છે.

Related posts

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય

Master Admin

શેર બજારમાં કડાકો : રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા થઈ ગયા

Master Admin

ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી

Master Admin

Leave a Comment

Translate »