Nirmal Metro Gujarati News
Uncategorized

મિઝોરમ અને અન્યત્ર કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

      તાજેતરમાં પૂર્વોત્તર ભારતમાં ‘રેમલ‘ વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને કારણે પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં જાનમાલની ભારે નુકસાની થઈ હતી. વાવાઝોડાના કારણે મિઝોરમના આઈઝોલ ખાતે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨૩ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા શ્રી કનુભાઈ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
     અકુદરતી મોતની અન્ય ઘટનામાં વડોદરા નજીક કોટંબી પાસે અકસ્માતમાં ૪ લોકોનાં મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા વડોદરા સ્થિત રામકથાના શ્રોતા નીતાબહેન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. કાલાવડના બાલંભડી ગામે બે બાળકોના ડૂબી જતાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પણ પૂજ્ય મોરારીબાપુએ ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો

Reporter1

ક્સ્ટ્રોલએ નવી EDGE રેન્જની પ્રોડક્ટ્સ ભારતમાં લોન્ચ કરી

Reporter1

GSEB ધોરણ 10ના પરિણામમાં વિદ્યાકુલના 6200+ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, પાસનો દર વધીને 96% થયો 

Reporter1
Translate »