Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026ની મજબૂત ઉદ્યોગ ભાગીદારી અને નેટવર્કિંગ સાથે શરૂઆત થઈ

અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026 ના પ્રથમ દિવસે વેપારી સમુદાય તરફથી ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી, જેમાં શહેરના સૌથી મોટા નેટવર્કિંગ અને વ્યવસાયિક કાર્યક્રમોમાંના એક માટે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો.

બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત અને ‘Upward, Forward and Beyond’ થીમ આધારિત, GMDC કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસીય સિમ્પોઝિયમમાં 50 થી વધુ ઉદ્યોગોના 10,000 થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં ક્યુરેટેડ નેટવર્કિંગ સેશન્સ, ઉદ્યોગ આધારિત ચર્ચાઓ અને 150થી વધુ બિઝનેસ સ્ટોલ્સ સાથેનું ‘સિસિલિયન એક્સ્પો’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શરૂઆતના દિવસે રસપ્રદ પેનલ ચર્ચાઓ અને બિઝનેસ સત્રો યોજાયા હતા જેમાં એ. શ્રીધર ગ્રુપના શર્વિલ શ્રીધર, પીએસપી પ્રોજેક્ટ્સના પ્રહલાદ પટેલ અને જાણીતા આર્કિટેક્ટ હિરેન પટેલ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. ચર્ચાઓ ઉદ્યોગસાહસિકતા, વ્યવસાય વૃદ્ધિ, નેતૃત્વ અને ઉભરતી તકો પર કેન્દ્રિત હતી.

સિમ્પોઝિયમમાં ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને પૂર્વ-નિર્ધારિત વન-ટુ-વન મીટિંગ્સ જેવા સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગ ફોર્મેટ પણ ઓફર કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી ભાગ લેનારોએ વધુ કેન્દ્રિત અને મૂલ્યવર્ધક બિઝનેસ ઇન્ટરૅક્શન કર્યા હતા. આ વર્ષની આવૃત્તિનું મુખ્ય હાઇલાઇટ એ છે કે સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ વ્યવસાયિક જોડાણોને સરળ બનાવવાના હેતુથી AI-સંચાલિત નેટવર્કિંગ ટૂલ્સનું એકીકરણ કરવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન દિવસે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અજય તોમર દ્વારા ‘ મોડર્ન મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ ભગવદ ગીતા’ વિષય પર એક વાર્તાલાપ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સાંજનું સમાપન હાસ્ય કલાકાર મનન દેસાઈ અને લવારીની ટીમ દ્વારા રજૂ કરાયેલા પ્રદર્શન સાથે થયું, જેણે બિઝનેસ કેન્દ્રિત ઇવેન્ટમાં હળવું અને રસપ્રદ માહોલ ઉમેર્યો હતો.

સિમ્પોઝિયમ દરમિયાન સંબોધન કરતાં બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “બીએનઆઈ અમદાવાદે મજબૂત બિઝનેસ સંબંધો નિર્માણ કરવા અને ઉદ્યોગસાહસિકો માટે નવી તકો સર્જવામાં 13 વર્ષ પૂર્ણ કર્યા છે. બીએનઆઈ આજે એક મજબૂત ઇકોસિસ્ટમ તરીકે વિકસ્યું છે, જ્યાં નેટવર્કિંગ, વિશ્વાસ અને સહયોગ વિકાસને ગતિ આપે છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોના 10,000થી વધુ બિઝનેસમેન અહીં જોડાશે, વિચારોની આપ-લે કરશે અને નવી ભાગીદારીઓની તકો શોધશે. આ સિમ્પોઝિયમ બીએનઆઈ સમુદાયની વ્યાપકતા અને શક્તિનું પ્રતિબિંબ છે.

કાર્યક્રમના બીજા દિવસે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને બિઝનેસ એજ્યુકેટર સીએ સાર્થક આહુજા દ્વારા કીનોટ સેશન યોજાશે, સાથે જ અન્ય નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સેશન્સ પણ યોજાનાર છે.

આ એક્સ્પો શનિવારે પણ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે, જે અમદાવાદના લોકોને બિઝનેસ પ્રદર્શનનો અનુભવ કરવાની અને બીએનઆઈ વિશે વધુ જાણવાની તક આપશે.

૩,૦૦૦ થી વધુ સભ્યોના નેટવર્ક સાથે, BNI અમદાવાદ રેફરલ્સ અને સંબંધ-આધારિત નેટવર્કિંગ દ્વારા વ્યવસાય વૃદ્ધિને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. આ સિમ્પોઝિયમ એ. શ્રીધર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને શ્યામ ગ્રુપ દ્વારા સંચાલિત છે.

Related posts

હાર્પિકે એક દાયકામાં બાથરૂમની સફાઈમાં તેનું સૌથી મોટું સંશોધન ‘નવું હાર્પિક બાથરૂમ અલ્ટ્રા ક્લિનર’ લોન્ચ કર્યું; રોહિત શેટ્ટીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેને આવકાર્યું

Master Admin

Tata Motors Strengthens EV Ecosystem: 25,000 Public Chargers Now Available for Electric SCVs

Reporter1

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

Master Admin

3 comments

Sabrina4542 May 9, 2026 at 8:58 pm Reply
Johnny4862 May 9, 2026 at 10:24 pm Reply
Kai3969 May 10, 2026 at 12:47 pm Reply

Leave a Comment

Translate »