Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર ડૉ. પવન અગ્રવાલ સાથે પ્રેરણાદાયી સત્રનું આયોજન કરાયું

અમદાવાદ, ગુજરાત | ૧૯ જૂન ૨૦૨૬ | ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા જાણીતા મોટિવેશનલ સ્પીકર ડૉ. પવન અગ્રવાલ સાથે એક રસપ્રદ અને માહિતીસભર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડબ્બાવાલા સિસ્ટમ પર પીએચ.ડી. કરનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ડૉ. પવન અગ્રવાલે, મુંબઈ ડબ્બાવાલાઓની અસાધારણ સફર દ્વારા નેતૃત્વ , ટીમવર્ક, ગ્રાહક સેવા અને કાર્યક્ષમતા પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.

આ સત્રમાં ફિક્કી ફ્લો અમદાવાદના સભ્યો, ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને શહેરભરના વ્યાવસાયિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રસપ્રદ વાર્તાઓ, વ્યક્તિગત અનુભવો અને વ્યવહારુ મેનેજમેન્ટના પાઠો દ્વારા ડો. અગ્રવાલે એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે મુંબઈ ડબ્બાવાલાઓએ પોતાની શિસ્ત, વિશ્વસનીયતા અને ગ્રાહક પ્રથમ અભિગમ દ્વારા વૈશ્વિક ઓળખ મેળવીને, વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત અને કાર્યક્ષમ ડિલિવરી નેટવર્ક તૈયાર કર્યું છે.

શ્રોતાઓને સંબોધતા ડૉ. અગ્રવાલે સમજાવ્યું હતું કે, ડબ્બાવાલા સિસ્ટમની સફળતા ટેકનોલોજી પર નહીં પરંતુ તેમના નૈતિક મૂલ્યો પર આધારિત છે. તેમણે સતત શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રતિબદ્ધતા, ટીમવર્ક, વિશ્વાસ, જવાબદારી અને સમયપાલન ના મહત્વ વિશે વાત કરી હતી.તેમણે એ વાત પર ખાસ ભાર મૂક્યો હતો કે સંસ્થાના દરેક સભ્ય ગ્રાહકોના સંતોષને સુનિશ્ચિત કરવામાં અને મુંબઈ ડબ્બાવાલાઓના આ વારસાને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પોતાના દાયકાઓના અનુભવમાંથી પ્રેરણા લઈને, ડૉ. અગ્રવાલે ડબ્બાવાલાઓની સફરના કેટલાક હૃદયસ્પર્શી પ્રસંગો શેર કર્યા હતા. ગ્રાહકો સાથેના તેમના ગાઢ સંબંધો વિશે વાત કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા.તેમણે જણાવ્યું હતું કે, દરેક ડબ્બાવાલા માટે ગ્રાહક એ ભગવાન સમાન છે. તેમણે વધુમાં સમજાવ્યું કે તેમનું સૌથી મોટું ઇનામ એ જાણવામાં છે કે, આખો દિવસ સખત મહેનત અને થાક પછી પણ કોઈ વ્યક્તિને સમયસર ઘરનું રાંધેલું ભોજન મળે છે. જ્યારે કોઈ ગ્રાહક પોતાનું લંચબોક્સ ખોલે છે ત્યારે તેના ચહેરા પર દેખાતી ખુશી અને સંતોષ જ હજારો ડબ્બાવાલાઓને દરરોજ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવવા માટે પ્રેરિત કરે છે.

સત્ર દરમિયાન, ડૉ. અગ્રવાલે એ પણ શેર કર્યું હતું કે તેઓ તેમના પ્રવચનો અને મોટિવેશનલ સત્રોમાંથી મળતું માનદ વેતન વંચિત અને અનાથ બાળકોના શિક્ષણ અને કલ્યાણ માટે સમર્પિત કરે છે.તેમણે જણાવ્યું કે ડબ્બાવાલાઓ પોતાને માત્ર લંચબોક્સ પહોંચાડનારા તરીકે નથી જોતા; તેઓ પોતાને કાળજી, આશ્વાસન અને ખુશીઓ પહોંચાડનારા માને છે. તેમણે નોંધ્યું કે જ્યારે એક થાકેલી વ્યક્તિ તેના પરિવાર દ્વારા પ્રેમથી બનાવેલું લંચબોક્સ ખોલે છે, ત્યારે તેના ચહેરા પર એક સ્મિત આવી જાય છે, અને એ સ્મિત જ દરેક ડબ્બાવાલા માટે સાચું વળતર છે.

તેમણે આ સંસ્થાને આગળ ધપાવતી મુખ્ય ફિલોસોફી પણ શેર કરી હતી: “કરના હૈ તો કરના હૈ” (જો આ કામ કરવાનું જ છે, તો પછી કરવાનું જ છે).તેમણે સમજાવ્યું કે આ માનસિકતાએ ડબ્બાવાલાઓને મુશળધાર વરસાદ અને પરિવહનની અડચણોથી લઈને દરરોજ હજારો લંચબોક્સ અદભૂત ચોકસાઈ સાથે પહોંચાડવાના દબાણ જેવા અસંખ્ય પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે. તેમના મતે, સફળતા બહાના બનાવવાથી નહીં પરંતુ જવાબદારી સ્વીકારવાથી અને હાથમાં લીધેલા કામ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાથી મળે છે.

મુંબઈ ડબ્બાવાલા સિસ્ટમ પર આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા અને પીએચ.ડી. ડૉ. પવન અગ્રવાલે કહ્યું: “જ્યારે એક મહિલા કામ કરે છે, ત્યારે સમગ્ર પરિવાર પ્રગતિ કરે છે. ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (ફ્લો) દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય ખરેખર પ્રશંસનીય છે, કારણ કે તે મહિલાઓને સશક્ત બનાવે છે અને સમાજ પર એક સકારાત્મક પ્રભાવ ઊભો કરે છે. મુંબઈ ડબ્બાવાલાઓની જેમ, જેઓ 1890 થી સમર્પણ સાથે લોકોની સેવા કરી રહ્યા છે અને આજે દરરોજ લગભગ ૨ લાખ લંચબોક્સ પહોંચાડે છે; સતત પ્રયત્નો અને પ્રતિબદ્ધતા અસાધારણ પરિણામો લાવી શકે છે.”

ફિક્કી ફ્લો અમદાવાદના અધ્યક્ષ ઉષા જયસ્વાલે જણાવ્યું હતું કે: “આ સત્રના આયોજન પાછળનો હેતુ અમારા જૂથની મહિલાઓને પ્રેરણા આપવાનો હતો, જેમાંથી ઘણી મહિલાઓ પોતાના ઘરની જવાબદારીઓની સાથે પોતાની વ્યાવસાયિક ફરજો વચ્ચે સંતુલન જાળવી રહી છે. મુંબઈ ડબ્બાવાલાઓ દ્વારા અપનાવવામાં આવતી શિસ્ત, પ્રતિબદ્ધતા અને પદ્ધતિસરનો અભિગમ ખરેખર અદ્ભુત છે. અમારું માનવું છે કે તેમની આ સફર અને કાર્યપદ્ધતિ અમારા સભ્યોને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સમાન સાતત્ય, સમર્પણ અને શિસ્ત લાવવા માટે પ્રેરિત કરશે.”

આ સત્રનું સમાપન ડૉ. અગ્રવાલના સન્માનમાં ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે થયું હતું. તેમની પ્રેરણાદાયી વાર્તાઓ, વ્યવહારુ જ્ઞાન અને હૃદયસ્પર્શી સંદેશાએ ઉપસ્થિત શ્રોતાઓને પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં જવાબદારી સ્વીકારવા, શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવા અને “કરના હૈ તો કરના હૈ” ની ભાવનાને અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.

== સમાપ્ત ==

Related posts

ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’

Master Admin

ભારતના જીવન વીમા કંપનીઓએ નાણાકીય વર્ષ 25 માં ₹6.30 લાખ કરોડના લાભો ચૂકવ્યા, જે ઘરગથ્થુ નાણાકીય સુરક્ષાના આધારસ્તંભ તરીકે ઉભરી આવશે – વીમા જાગૃતિ સમિતિ (IAC-લાઇફ)

Master Admin

Tata Motors’ electric buses clock 25 crore kilometres; equivalent to traversing the circumference of the earth 6200 times

Reporter1

Leave a Comment

Translate »