- ગુરુગ્રામ, બેંગલુરુ અને જયપુર શહેરોમાં મિલકતની દ્રષ્ટિએ નેટવર્કમાં ટોચ પર છે.
- મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળ રાજ્યની હાજરીમાં આગળ છે.
- પ્રવાસીઓ દરેક બુકિંગ પર તેમના રહેઠાણ ખર્ચના ઓછામાં ઓછા 10% રિવોર્ડ પોઈન્ટ તરીકે કમાશે, જે નેટવર્કમાં ગમે ત્યાં તેમના આગામી રોકાણ પર રિડીમ કરી શકાય છે.
ગુરુગ્રામ | 07મી જુલાઈ 2026 | મેકમાયટ્રિપે આજે ભારતીય પ્રવાસીઓની આસપાસ રચાયેલો વૈશ્વિક રિવોર્ડ્સ પ્રોગ્રામ વનસર્કલ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે 13,376 નિવાસી મિલકતોના સહયોગી નેટવર્કને એક જ પ્લેટફોર્મ પર લાવે છે, જેમાં વિશ્વભરના 1002 શહેરોમાં (30 જૂન, 2026 સુધીમાં) હોટેલ્સ અને આલ્ટરનેટ એકોમોડેશન્સનો સમાવેશ થાય છે.
વનસર્કલ નોંધપાત્ર સ્તરે લોન્ચ કરે છે, જે એક રિવોર્ડ પ્રોગ્રામ હેઠળ ભારતમાં 12,330થી વધુ નિવાસી મિલકતો સાથે સમગ્ર ભારતમાં 868 શહેરોને આવરી લે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમ ડેસ્ટિનેશન ભારતીય આઉટબાઉન્ડ ટ્રાવેલના હિસાબે પસંદ કરાયેલાં 134 સ્થળોને આવરી લેતા 39 દેશોમાં 1046 મિલકતો સુધી વિસ્તરે છે. ગ્રાહક રેટિંગ, મેકમાયટ્રિપની સપ્લાય ટીમ દ્વારા જમીન પર મૂલ્યાંકન અને કાર્યક્રમમાં જોડાવામાં તેમની રુચિના આધારે મિલકતોને ઓનબોર્ડ કરવામાં આવી છે.
વનસર્કલ સ્વતંત્ર હોટેલથી લઈને હોમસ્ટે અને વિલા સુધી લક્ઝરી, પ્રીમિયમ અને બજેટ સેગમેન્ટમાં વિવિધ પ્રકારના રોકાણ ભાગીદારોને એકસાથે લાવે છે. તે પ્રવાસીઓને તેમની પસંદગીઓ અને બજેટ અનુસાર વિવિધ પ્રકારનાં રોકાણોમાંથી પસંદગી કરવાની સુગમતા પ્રદાન કરે છે. પ્રવાસીઓ દરેક બુકિંગ પર તેમના રહેઠાણ ખર્ચના ઓછામાં ઓછા 10% રિવોર્ડ પોઈન્ટ તરીકે કમાઈ શકે છે, જે નેટવર્કમાં ગમે ત્યાં તેમના આગામી રોકાણ પર રિડીમ કરી શકાય છે.
આ કાર્યક્રમ ભારતની સ્થાનિક પ્રવાસ વૃદ્ધિને આગળ ધપાવતા નોન-મેટ્રો માર્કેટસ તરફ ભાર આપે છે: ચારમાંથી ત્રણ ભાગ લેતી મિલકતો ટાયર 2 અને ટાયર 3 સિટીઝમાં છે. ગુરુગ્રામ, બેંગલુરુ અને જયપુર મિલકતોની સંખ્યાની દ્રષ્ટિએ ટોચનાં શહેરો તરીકે ઊભરી આવ્યાં છે, જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળ રાજ્યના પ્રભાવની દ્રષ્ટિએ આગળ છે. આ કાર્યક્રમ મેટ્રો અને બિઝનેસ હબથી લઈને હિલ સ્ટેશન, દરિયાકિનારા, આધ્યાત્મિક કેન્દ્રો અને ઓફબીટ ગેટવે સુધીનાં વિવિધ સ્થળોને આવરી લે છે, જેમાં સસ્તા રોકાણથી લઈને લીજર અને બિઝનેસ પ્રવાસીઓ બંને માટે લક્ઝરી હોટેલો સુધીના દરેક ભાવબિંદુનો સમાવેશ થાય છે.
મેકમાયટ્રિપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ રાજેશ માગોએ જણાવ્યું હતું કે, “વનસર્કલ એક સરળ વિચાર પર બન્યું છે: દરેક સફર પ્રવાસી માટે વધુ ફળદાયી હોવો જોઈએ અને દરેક એકોમોડેશન પાર્ટનર પાસે તેને સ્થાયી વ્યવસાયમાં ફેરવવાનો માર્ગ હોવો જોઈએ. પ્રવાસીઓ માટે તેનો અર્થ એ છે કે ઘરે અથવા વિદેશમાં દરેક રોકાણ પર વાસ્તવિક મૂલ્ય કમાવવું. અમારા ભાગીદારો માટે તે માગણીનું નવું દ્વાર ખોલે છે અને પરત ફરતા મહેમાનો સાથે સંબંધો બનાવવાનો માર્ગ મોકળો કરે છે.”
તેના તબક્કાવાર રોલઆઉટથી વનસર્કલને પ્રવાસીઓ તરફથી પ્રોત્સાહક પ્રારંભિક પ્રતિસાદ મળ્યો છે.
== સમાપ્ત ==

