Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે : પ્રિયંકા ગાંધી

ગૃહમંત્રી અને કેન્દ્ર સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર

કોંગ્રેસે RSS પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી નિવેદન પર પણ પ્રહારો કર્યા, ૧૦ વર્ષમાં ૧ લાખ સરકારી શાળાઓ બંધ થવાનો આક્ષેપ કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ –– કોંગ્રેસ સાંસદોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપવાથી બચી રહ્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતના જેન ઝી (Gen Z) અંગેના નિવેદનને લઈને પણ કોંગ્રેસે સરકાર અને સંઘ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં પ્રસ્તાવિત છાત્રૌં કી ગૂંજ કાર્યક્રમને લઈને કહ્યું કે, સરકાર આ કાર્યક્રમથી ડરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કાર્યક્રમો સાથે હંમેશાં આવું જ વર્તન કરવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં આવવા અંગેના પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એવું નથી લાગતું કે તેઓ સદનમાં આવશે. જો કોઈ ભૂલ થઈ હોય તો સરકારે તેની જવાબદારી લઈને સંસદમાં જવાબ આપવો જોઈએ.

કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે પણ ગૃહમંત્રીની ગેરહાજરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે, ગૃહમંત્રી સદનમાં આવીને સ્પષ્ટતા કરે કે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો અને ટીયર ગેસ છોડવાનો આદેશ કોણે આપ્યો હતો. દેશ અને વિદ્યાર્થીઓ બંને આ પ્રશ્નોના જવાબ ઈચ્છે છે. કોંગ્રેસે આ અંગે લોકસભા અધ્યક્ષને સંસદીય કાર્યમંત્રીને સૂચના આપવા વિનંતી કરી છે, પરંતુ સંસદ સત્રના માત્ર ૪ દિવસ બાકી હોવા છતાં ગૃહમંત્રી હજુ સુધી ઉપસ્થિત થયા નથી. બીજી તરફ, RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસ સાંસદ મણિક્કમ ટાગોરે કહ્યું કે, ઇજીજી આ સમયે બેકફૂટ પર છે. તેમણે આરોપ લગાવ્યો કે, છેલ્લા ૧૨ વર્ષોમાં RSS એ યુનિવર્સિટીઓ અને અન્ય શિક્ષણ સંસ્થાઓ પર પ્રભાવ સ્થાપિત કર્યો છે, પરંતુ હવે તેઓ રક્ષણાત્મક સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અમર સિંહે શિક્ષણ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે શિક્ષણ મોંઘું કરી દીધું છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુવાનોને રોજગારી મળી રહી નથી, અને છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાં લગભગ ૧ લાખ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે.

સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પણ ઉમેર્યું કે, મોહન ભાગવત જે વાતો કહી રહ્યા છે, તે જ વાતો કોંગ્રેસ લાંબા સમયથી ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછું ગૃહમંત્રીએ સદનમાં ઉપસ્થિત રહીને વિપક્ષ અને દેશના સવાલોનો સામનો કરવો જોઈએ.

Related posts

મમતાને વધુ એક નેતાએ આપ્યો ઝટકો, પાર્ટી પ્રવક્તા પદેથી આપ્યું રાજીનામું

Master Admin

સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ

Master Admin

અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા

Master Admin

Leave a Comment

Translate »