Nirmal Metro Gujarati News
Dharmik

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા. જૈનીતીયા વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણ મોદી દ્વારા મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

અનંત સમતાનંદ માટે સાધુ સેવા, શાસ્ત્ર સેવા, ગુરુ સેવા અને સમાધિ સેવા અનિવાર્ય : શ્રી મોરારિબાપુ

Master Admin

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 649 જન્મ જયંતીની અમદાવાદમાં ઉજવણી

Master Admin

ભારત મંડપમ્ ભૂમિ પરથી ત્રિભુવનને દિવ્ય રામ જન્મની વધાઇઓ

Master Admin

Leave a Comment

Translate »