Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

આંધ્રપ્રદેશની આગ દુર્ધટનામાં અકાળે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૨ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર આંધ્રપ્રદેશ ખાતે કાકીનાડા જીલ્લામાં વેટલાપાલેમ ગામમાં ગત શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકોનાંઅકાળે અવસાન થયા છે. આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યે બ્લાસ્ટ થયો હતો જેમાં જોતજોતાંમાં ૨૧ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તત્કાળ રાહત મળે તે હેતુથી પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે અને તેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

સનાતન એટલે દિવ્યપુરુષ,દેવપુરુષ નહીં

Reporter1

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

Master Admin

હવે રાત્રે પણ કરી શકાશે વૈષ્ણો દેવી માતાની ગુફાના દર્શન

Master Admin

Leave a Comment

Translate »