Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું ઈનામ

રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી

રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત યાચિકા સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૩ મે ૨૦૨૬ — રાજકારણમાં ક્યારે કયો વળાંક આવી જાય તે કહેવું મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે વાત પક્ષપલટા અને તેના પછી મળતા મોટા પદોની હોય. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરનારા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ફરી એકવાર દેશભરમાં હેડલાઇન્સમાં છે. ભાજપમાં જોડાતાની સાથે જ રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ અચાનક વધી ગયું હોય તેમ તેમને સંસદમાં એક મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત યાચિકા સમિતિ ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ૨૦ મે ૨૦૨૬થી પ્રભાવી બને તે રીતે આ મહત્વપૂર્ણ પેનલનું પુનર્ગઠન કર્યું છે અને ગૃહના ૧૦ સભ્યોને આ સમિતિ માટે નામાંકિત કર્યા છે. રાઘવ ચઢ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ કરશે.

આ આખી રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ બહુ રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના ૬ અન્ય સાંસદોએ અચાનક પાર્ટીને અલવિદા કહી દીધું હતું. આ તમામ ૭ સાંસદોએ ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લઈ લીધું હતું. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં ૧૦ સાંસદોનું સંખ્યાબળ ધરાવતી આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર ૩ જ સાંસદો બચ્યા છે, જે કેજરીવાલ માટે બહુ મોટો ફટકો છે.

ભાજપમાં જોડાનારા આ ૭ બળવાખોર સાંસદોના નામઃ
રાઘવ ચઢ્ઢા
સંદીપ પાઠક
અશોક મિત્તલ
હરભજન સિંહ
સ્વાતિ માલીવાલ
રાજિંદર ગુપ્તા
વિક્રમજીત સિંહ સાહની

આ પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી ભારે રોષમાં છે. ’આપ’ દ્વારા રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન સમક્ષ સત્તાવાર માંગ કરવામાં આવી છે કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ તમામ ૭ સાંસદોનું સભ્યપદ તાત્કાલિક રદ કરવામાં આવે.એક તરફ રાઘવ ચઢ્ઢાને ભાજપ તરફથી મોટું ઈનામ મળ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ બદનામીથી બચવા માટે રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર તેમના વિશે ફેલાવવામાં આવી રહેલી નકલી, છૈં-જનરેટેડ અને ડીપફેક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવામાં આવે અથવા બ્લોક કરવામાં આવે. રાઘવ ચઢ્ઢાની દલીલ છે કે આ ફેક વીડિયો અને કન્ટેન્ટ તેમની પ્રતિષ્ઠા અને પર્સનાલિટી રાઈટ્‌સને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.

જોકે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરી કે, આ રાઘવ ચઢ્ઢાના અંગત અધિકારોના ઉલ્લંઘનનો મામલો લાગતો નથી. તેમની ટીકા તેમના રાજકીય નિર્ણયો અને ભાજપમાં જોડાવાને લઈને થઈ રહી છે. પર્સનાલિટી રાઈટ્‌સનો વ્યાપારી ઉપયોગ કરવો અને કોઈની રાજકીય આલોચના કરવી, આ બંને બાબતોમાં મોટો તફાવત છે. હાલમાં હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

Related posts

ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Master Admin

બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Master Admin

સેવામાં અંતર ભારતીયોના વાર્ષિક 10.8 કલાકનો ભોગ લેવાય છેઃ 44 ટકા બ્રાન્ડ્સ બદલી કરવા માટે તૈયારઃ સર્વિસનાઉના ત્રીજા CX રિપોર્ટનું તારણ

Master Admin

Leave a Comment

Translate »