Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો

ભાજપને આંતરિક ડખો નડ્યો

આ જીતને કારણે રાજ્યના રાજકીય સમીકરણોમાં નવો વળાંક આવ્યો છે, અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશ, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીની અયોગ્યતા બાદ ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસના અનુભવી નેતા કુંવર ઘનશ્યામ સિંહે ભાજપના આશુતોષ તિવારીને હરાવીને જીત મેળવી. આ જીતને કારણે રાજ્યના રાજકીય સમીકરણોમાં નવો વળાંક આવ્યો છે, અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાજપમાં આંતરિક અસંતોષ અને કોંગ્રેસ પ્રત્યેની સહાનુભૂતિ પણ આ પરિણામ માટે જવાબદાર ગણાઈ.

મધ્ય પ્રદેશની ચર્ચિત દતિયા વિધાનસભા સીટની પેટાચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ રહ્યો છે. ચૂંટણી પરિણામે ન માત્ર બુંદેલખંડ, પરંતુ આખા રાજ્યના રાજકીય સમીકરણોને નવો વળાંક આપી દીધો છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીની અયોગ્યતાના કારણે ખાલી પડેલી સીટ બચાવવી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય હતો, અને પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય કુંવર ઘનશ્યામ સિંહ પર ભરોસો મૂક્યો, જેમણે ભાજપ ઉમેદવાર આશુતોષ તિવારીને હરાવીને સીટ જાળવી રાખી. આ જીતને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે.

વર્ષ ૨૦૨૩ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાને કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ હરાવ્યા હતા, અને હવે નરોત્તમ મિશ્રાની જગ્યાએ ઉતરેલા આશુતોષ તિવારીને કોંગ્રેસના કુંવર ઘનશ્યામ સિંહે હરાવીને ફરી કોંગ્રેસનો પરચમ લહેરાવ્યો છે.

કોંગ્રેસે દતિયામાં સ્થાનિક સ્તરે નવા પ્રયોગ કરવાને બદલે પોતાના જૂના અને અનુભવી ચહેરા કુંવર ઘનશ્યામ સિંહ પર દાવ ખેલ્યો. દતિયા સીટથી પહેલા પણ ધારાસભ્ય રહી ચૂકેલા ઘનશ્યામ સિંહની ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં સીધી પકડ છે. પોતાની સ્વચ્છ છબી, અને લાંબા રાજકીય અનુભવના દમ પર તેઓ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.

ભાજપે પેટાચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાની ટિકિટ કાપીને ઇજીજી પૃષ્ઠભૂમિના આશુતોષ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, પાર્ટીએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો, પરંતુ ધરાતલ પર કાર્યકરો અને નરોત્તમ મિશ્રાના સમર્થકોની નારાજગી પૂરી રીતે ખતમ ન થઈ શકી. ભાજપ કેડરની આ અંદરની નારાજગી મતદાનના દિવસે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ.રાજેન્દ્ર ભારતી અયોગ્ય જાહેર થયા બાદ દતિયા સીટ પર પેટાચૂંટણી થઈ. કોંગ્રેસે આખા પ્રચાર દરમિયાન તેને જનતાના જનાદેશ પર સત્તાનું દબાણ અને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી અને વિપક્ષી નેતા ઉમંગ સિંઘાર સહિતના લોકોએ આક્રમક વલણ અપનાવ્યું. જનતાના એક મોટા વર્ગે કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને ચૂંટણીમાં મોટી જીત અપાવી.

દતિયા વિધાનસભામાં પછાત વર્ગ ર્(ંમ્ઝ્ર) અને અનુસૂચિત જાતિ (જીઝ્ર)ના મતદારોની સંખ્યા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર દામોદર યાદવની હાજરી છતાં, કોંગ્રેસર્ ંમ્ઝ્ર અને દલિત વોટ બેંકના મોટા હિસ્સાને પોતાની સાથે જોડવામાં સફળ રહી. જોકે, દામોદર યાદવને પણ ૧૫ હજારથી વધુ વોટ મળ્યા.

કોંગ્રેસે દતિયા પેટાચૂંટણી માટે માઇક્રો મેનેજમેન્ટ પર જોરદાર કામ કર્યું. આ માટે પાર્ટીએ દતિયાના ૨૯૧ બૂથોને ૧૦ ક્લસ્ટરમાં વહેંચી દીધા હતા. એક-એક ક્લસ્ટરની જવાબદારી પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોને સોંપાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની સતત હાજરીએ સ્થાનિક કાર્યકરોનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો.

Related posts

બ્રિક્સ સમિટ માટે પુતિન, જિનપિંગ અને ઈરાનના નેતા ભારત આવે તેવી શક્યતા

Master Admin

ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Master Admin

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Master Admin

Leave a Comment

Translate »