ડો શ્રીરામ વૈદ્ય – Mob 9825009241
Email: sksvaid@outlook.com
તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધીગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પનથવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીનાપ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાંખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે. અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો.
તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળે છે. તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે. ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકઔષધી છે. ગીલોયખુબ ઝડપથી ફાલતીફૂલતી વેલ હોય છે. એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીનઆલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોયએન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારીબીમારીઓનાજીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે. દરેક પ્રકારના તાવ, સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત ૧-૧ ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે. વાતજ્વર ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાકસોનાપાઠા અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી ૨૦-૩૦ ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વરઠીક થઇ જાય છે.
વાયરલતાવના મોટાભાગના દર્દીઓને તાવ હશે જે આવીને જઇ શકે છે. કોઈપણ વાયરલ તાવ જે ૧૦૪ કરતા વધારે છે તે. ચીકનગુનીયા જેવા કેટલાક રોગની શરૂઆત ગંભીર સાંધાનો દુખાવો, ગંભીર માયલ્જિયાથી થઈ શકે છે. ડેન્ગ્યુ, કોરોનાવાયરસ, એચ 1 એન 1 H1N1 તાવ જેવા ખતરનાક વાયરલ તાવ છે, સામાન્ય રીતે વાયરલતાવમાં, તાપમાન ૧૦૨ કરતા વધુને પાર નથી કરતું. જુનો તાવ, જીર્ણ જ્વર કે ૬ દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે ૪૦ ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં ૨૫૦ મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીનેગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ ૨૦ ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. ૨૦ મી.લી. ગીલોયના રસમાં ૧ ગ્રામ પીપરી અને ૧ ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ , ખાંસી અને અરુચિ વગેરે રોગ માં સારું થઇ જાય છે. તાવ : ગીલોય ૬ ગ્રામ, ધાણા ૬ ગ્રામ, લીમડાની છાલ ૬ ગ્રામ, પધાખ ૬ ગ્રામ અને લાલ ચંદન ૬ ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.
આવા સામાન્ય ઉપચારોની સાથે ભારંગી, પૂષ્કરમૂળ, પુનર્નવા, ગળો, અરડૂસી, દશમૂળ, દારૂહળદર જેવી વાયુ, કફને સંતુલિત કરે તથા વાયુ કોષોની જીવંતતા વધારે તેવી દવાઓ વૈદ સૂચવી શકે છે. કોઇ બહારનાં તત્ત્વો કે આહારમાંનાં તત્ત્વો પ્રોટીન વગેરે પ્રતિ જ્યારે આપણું શરીર જે વિરોધી ક્રિયા આરંભે, અથવા કરે તેને એલર્જીકહેવામાં આવે છે .તે આ રોગનો કાયમી અને સફ્ળ ઉપચાર છે. ત્રિકટુ સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ ૩ ગ્રામ પ્રમાણમાં મધ સાથે જમ્યાબાદ બે વખત લઇ શકાય. સૂંઠનો ટુકડો નાંખી ઉકાળી ચોથા ભાગે બળી ગયેલું પાણી, સામાન્ય તાપમાનનું થયે પીવા માટે વાપરવું ભારંગમૂળ ક્વાથ ચારથી છ ચમચી સવારે અને રાત્રે પીવો .થોડી સૂંઠ નાખેલું, ઠંડું કરેલું પાણી જ પીવું. શ્વાસકાસ ચિંતામણી, મહાલક્ષ્મીવિલાસની ગોળીઓથી ફાયદો થશે. ચોસઠ પ્રહરી પીપર અથવા ત્રિકટુ ચૂર્ણ બે ગામ જેટલું એક ચમચી મધમાં મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ચાટવું. વાસારિષ્ટ કે કનકાસવ ૪-૫ ચમચી લઇ તેમાં એટલું જ પણી ઉમેરી દિવસમાં ત્રણ વાર પીવો. આંતરિક તાવ , ૫ ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે. અજીર્ણ અસાધ્ય જ્વર, ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતાઆબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથીઅજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે. વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી વાત-કફ જ્વરમાં ફાયદો થાય છે. દમ શ્વાસ નો રોગ, ગીલોયના થડ ની છાલ ને વાટીનેમઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. ૫ ગ્રામ ગીલોયનો રસ, ૨ ગ્રામ ઈલાયચી અને ૧ ગ્રામ ના પ્રમાણમાં વંશલોચનમધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે. મેલેરિયા તાવ, ગીલોય ૫ લાંબા ટુકડા અને ૧૫ કાળા મરી ને ભેળવીને વાટીને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે પા ગ્લાસ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.
કફ અને ખાંસી , ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે. શારીરિક નબળાઈ ૧૦૦ ગ્રામ ગીલોય ની લય, ૧૦૦ ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે ૧ લીટરઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. ૨ કલાક પછી મસળીગાળીનેસુકવી લો. તેનો ૫૦-૧૦૦ ગ્રામ રોજ ૨-૩ વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે. ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથીગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ૫ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ,અપચો, ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાનેલેધે થતા રોગો ઠીક થઇ જાય છે. અહીં દર્શાવેલા તમામ અન્ય ઉપચારો અને તેવી ઔષધિયો મેળવતા પેહલાવૈદ્યની સલાહ અને માર્ગ દર્શન મુજબ કરવા હિતાવહ રહે છે.

