Nirmal Metro Gujarati News
Uncategorized

મોરબી અને બોટાદ નજીક પાણીમાં ડૂબી જતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત પર જાણે કાળચક્ર ફરી રહ્યું હોય તેમ અકુદરતી મૃત્યુનો સીલસીલો અટકવાનું નામ નથી લેતો. હજુ ભાવનગરમાં બોર તળાવમાં ચાર કિશોરીઓ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામી તે ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં માળીયાના વર્ષા મેડી ગામમાં ૩ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા રાજકોટના મહેન્દ્ર ભાઈ (અતુલ ઓટો) દ્વારા પહોંચતી કરવામાં આવી છે.
           એ પ્રમાણે બોટાદ નજીક આવેલા સમઢિયાળા ગામમાં પણ બરવાળાના બે આશાસ્પદ યુવાનોનું પાણી માં ડૂબી જતાં મોત થયું છે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

હાયર ઈન્ડિયાએ ઘરના સૌંદર્ય શાસ્ત્રને પુનઃવ્યાખ્યાયિત કર્યું: આકર્ષક રસોડાને અપગ્રેડ કરવા

Reporter1

APRIL ગ્રુપએ ભારતની અગ્રણી કન્ઝ્યુમર ટિસ્યુ પ્રોડક્ટ્સ કંપની ઓરિગામીમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો

Reporter1

EDII’s દ્વારા યુવા અને બાળકોની આંત્રપ્રિન્યોરશિપ શિબિર……એક પ્લેટફોર્મ જે વિજેતા ગુણો પ્રદાન કરે છે

Reporter1
Translate »