Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

હવે આનાથી મોટી ગુંડાગીરી બીજી શું હોઈ શકે?

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ

છેલ્લા દિવસોમાં અમેરિકાએ વેનેઝુએલામાં જે કર્યું તે અત્યંત શરમનાક કૃત્ય હતું. એક રાષ્ટ્રના રાષ્ટ્રપતિનું અપહરણ કરી લેવું, તેને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. રાષ્ટ્રસંઘનું ચાર્ટર ક્યાં ગયું અને ક્યાં ગઈ આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદ? અમેરિકાએ સીધી રીતે એક રસ્તા પરના ગુંડાની જેમ તમામ નિયમોને નેવે મૂકીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના નિવાસસ્થાનેથી રાતના અંધકારમાં અપહરણ કરાવી લીધા. અમેરિકાનો આ ઈતિહાસ રહ્યો છે. પોતાના સૈન્ય બળ પર તેણે ઈરાકમાં પણ આ જ કર્યું હતું. જે રાસાયણિક હથિયારોનો હવાલો આપીને ઈરાક પર હુમલો કર્યો હતો, તે રાસાયણિક હથિયારો આજ સુધી મળ્યા નથી. ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. તે સમયે પણ આખું વિશ્વ તમાશો જોતું રહ્યું હતું અને આજે પણ આખું વિશ્વ તમાશો જોઈ રહ્યું છે. કોઈનામાં પણ એ શક્તિ નથી કે અમેરિકાના આ કૃત્યને રોકી શકે. ચીન અને રશિયાએ નિંદા પણ કરી, પરંતુ બાકીના દેશો પાસે નિંદા કરવાની પણ તાકાત નથી. હકીકતમાં નિંદાથી પણ શું થશે? રશિયા પોતે યુક્રેનમાં એ જ કામ કરી રહ્યું છે. ચીન પણ તાઈવાનમાં એ જ કરવા માંગે છે. રશિયા, અમેરિકા અને ચીન ત્રણેય દેશો પોતાની વિસ્તારવાદી નીતિઓ પર સતત આગળ વધી રહ્યા છે અને તેમને રોકનાર કોઈ નથી. ‘ઓપરેશન સિંદૂર’ જે અચાનક રોકાઈ ગયું હતું, તેની પાછળ સીધી રીતે અમેરિકાનો જ હાથ હતો. ટ્રમ્પની ધમકી સામે ભારતને ઝૂકવું પડ્યું હતું. અમેરિકાની દાદાગીરી દિનપ્રતિદિન વધતી જાય છે, લોકશાહી એક મજાક બનીને રહી ગઈ છે. રશિયા છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેનમાં જે કરી રહ્યું છે તેને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં, પરંતુ કોઈ દેશમાં તે શક્તિ નથી કે રશિયાને રોકી શકે. રોજ બંને તરફના હજારો સૈનિકો માર્યા જાય છે પરંતુ તેની પરવા કોણ કરી રહ્યું છે? યુરોપિયન દેશો માત્ર સૈન્ય મદદ આપી શકે છે. અમેરિકા પણ આ બાબતે નિષ્ફળ રહ્યું છે. ટ્રમ્પને ગર્વ હતો કે તેમના રાષ્ટ્રપતિ બન્યા પછી યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થઈ જશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. ઉલટાનું એ થયું કે ખુદ અમેરિકાએ એક નવો મોરચો ખોલી દીધો. હવે એ નક્કી છે કે વેનેઝુએલામાં અરાજકતા વધશે અને એક રાષ્ટ્ર તહસ-નહસ થઈ જશે જેવું ઈરાકમાં થયું હતું.

દુનિયા અત્યારે સીધી રીતે ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઉભી છે, માત્ર એક તણખાની જરૂર છે. આ આગ ગમે ત્યારે ભડકી શકે છે. વિશ્વની સ્થિતિ એવી બની રહી છે કે હવે આ થઈ જ જવું જોઈએ. આવનારા સમયમાં નાના-મોટા દેશોનું અસ્તિત્વ ભૂંસાવાનું છે. અમેરિકા ડેનમાર્કના ગ્રીનલેન્ડને હડપવાના પ્રયાસમાં છે અને તે આ કામ ગમે ત્યારે કરી શકે છે. હવે આંતરરાષ્ટ્રીય લોકલાજનો ભય કોઈને રહ્યો નથી. અમેરિકાને તેલના ભંડાર સાથે મતલબ છે. તેને કોઈ પણ દેશમાં એટલા માટે કબજો જોઈએ છે જેથી તે દેશનું તેલ અને ખનિજ સંપત્તિ તેના કબજામાં આવી શકે. ચીન પણ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આ જ મકસદથી ઘૂસણખોરી કરી રહ્યું છે. રશિયા, ચીન અને અમેરિકા ત્રણેય દેશોનો મકસદ એક સરખો જ છે. કોઈ કોઈનાથી ઓછું નથી. પરંતુ તેમની ધૂનના કારણે નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. વેનેઝુએલાના ઓપરેશનમાં ચાલીસ લોકોના બિનજરૂરી જાન ગયા, તેનો જવાબદાર કોણ છે? આજે અમેરિકા સિવાય કોઈ દેશ આવું કરત તો આખી દુનિયામાં થૂ-થૂ થાત, પરંતુ અમેરિકાના આ કૃત્યની કોઈ પણ દેશ ટીકા કરી રહ્યો નથી. અહીં સુધી કે ભારતે પણ ઔપચારિક રીતે ટીકા કરી નથી. આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. હવે ભારતે પણ પોતાની સૈન્ય તૈયારી ઉચ્ચ કોટિની કરવી પડશે. આ મહાસક્તિઓને રોકનારો કોઈ તો દેશ હોવો જોઈએ. પરંતુ અત્યારે આપણો દેશ આર્થિક રીતે ઘણો નબળો છે. આપણે ત્યાં તેલના ભંડાર પણ નથી, તેથી આપણે કોઈ પણ યુદ્ધ જીતી શકતા નથી. આખી અર્થવ્યવસ્થા તેલ પર જ નિર્ભર છે અને તેના માટે આપણે દુનિયાના અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે. તેથી આપણો દેશ કોઈ પણ યુદ્ધમાં ફસાઈ શકે નહીં. કોઈ રીતે દેશમાં દાળ-રોટી ચાલી જાય તેટલું જ કાફી છે. આપણે દુનિયાની ચોથી અર્થવ્યવસ્થાવાળો દેશ જરૂર બની ગયા છીએ, પરંતુ અમેરિકા, રશિયા અને ચીનની અર્થવ્યવસ્થા જ્યાં ૨૦ થી ૨૫ ટ્રિલિયન છે, ત્યાં આપણી ૪ થી ૫ ટ્રિલિયન છે. હજુ ભારત આ દેશોની સરખામણીએ ગાઉ છેટું છે. ભારતને હજુ આ ખાઈ પૂરવામાં ઘણો સમય લાગશે અને બની શકે કે આ ખાઈ આપણે પૂરી પણ ન શકીએ. આપણે ટેકનોલોજીની બાબતમાં પણ પાછળ રહી રહ્યા છીએ. અમેરિકાનું રક્ષણ બજેટ જેટલું છે, ભારત તેના વિશે વિચારી પણ શકતું નથી.

છેલ્લા બાર વર્ષોમાં ફક્ત એટલું જરૂર થયું છે કે ભારત પણ વિશ્વના મંચ પર એક શક્તિ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં સફળ જરૂર થયું છે. આનો તમામ શ્રેય મોદી સરકારને જવો જોઈએ. નોટબંધીને છોડીને મોદી સરકારે અત્યાર સુધી અભૂતપૂર્વ કાર્ય દેશમાં કર્યું છે. આખા ભારતની દશા જ બદલાઈ ચુકી છે. લોકોના હાથમાં પૈસા આવી ગયા છે. લોકોના જીવનમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. જો શિક્ષણ અને સ્વાસ્થ્યનો પૂરો ખર્ચ સરકાર ભોગવવા લાગે તો દેશના લોકોની વધુ પ્રગતિ થશે. આ માટે કોઈ તરકીબ કાઢવી જ પડશે. તમામ રાજ્યોમાં મોટા પાયે શિક્ષકોની ભરતી થાય છે પરંતુ સરકારી શાળામાં બાળકો ભણવા આવતા નથી. ઘણી સરકારી શાળાઓની એવી સ્થિતિ છે કે શાળામાં આઠ-દસ બાળકો જ આવી શકે છે, જ્યારે ત્યાંના શિક્ષકોની સંખ્યા તે બાળકો કરતા વધુ છે. સરકારી શાળાઓના શિક્ષકોને બીજા કામોમાં લગાડવામાં આવે છે. શિક્ષકો પર સરકારના પૈસા વેડફાય છે. જેટલી પણ ખાનગી શાળાઓ છે તેમાં ભણાવતા શિક્ષકોનો પગાર આજના સમયમાં ના બરાબર છે. ખૂબ ઓછા પગાર પર આ શાળાઓમાં તેમણે કામ કરવું પડે છે. અત્યારે પગારની બાબતમાં ઘણી વિસંગતતાઓ છે જેને દૂર કરવાની જરૂર છે. તેમ છતાં પહેલા કરતા લોકોના જીવનમાં ઘણો સુધારો થયો છે. દેશમાં ૮૦ ટકા લોકો સારું જીવન જીવી રહ્યા છે પરંતુ ૨૦ ટકા લોકો હજુ પણ મુશ્કેલીથી જીવી રહ્યા છે. તેમના જીવનમાં સુધારો લાવવો જોઈએ. આગામી દસ વર્ષોમાં આ સ્થિતિ જરૂર બદલાશે. હકીકતમાં આ દેશમાં કેટલીક દેશવિરોધી તાકાતો સક્રિય છે, તેમની સામે સખ્તાઈથી કામ લેવાની જરૂર છે. જેએનયુ (ત્નદ્ગેં) માં જે રીતે નારા લગાવવામાં આવે છે તે અત્યંત શરમનાક છે. હકીકતમાં જેએનયુને કેટલાક વર્ષો માટે બંધ કરવાની જરૂર છે. અહીં હંમેશાથી દેશવિરોધી તાકાતો સક્રિય રહે છે. શહેરી નક્સલવાદ અહીંની જ દેણ છે. સરકારે ઢીલાશ ન રાખવી જોઈએ. નક્સલીઓ સાથે આપણે કામ લઈ રહ્યા છીએ, સાથે સાથે આ ‘અર્બન નક્સલીઓ’ સાથે પણ કામ લેવું પડશે. તેમનું ફેણ કચડવું ખૂબ જરૂરી છે. તેઓ હકીકતમાં સમાજ માટે કોઢ સમાન છે.

Related posts

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

Master Admin

ICMAI-WIRC hosts Regional Cost Convention, pushes for CMA inclusion in Tax Bill

Reporter1

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

Reporter1
Translate »