Nirmal Metro Gujarati News
article

રક્તની વિકૃતિથી ઘૂંટણનો દુઃખાવાની મુખ્ય ફરિયાદ

ડો.શ્રીરામ વૈદ્ય. – Mob: 9825009241

Email: sksvaid@outlook.com

મુખ્યત્વે વાત અને રક્તનીવિકૃતિથી આ રોગનો ઉદભવ થાય છે. તેમાં તિવ્ર પીડા અને ઘૂંટણનો સોજો મુખ્યતવે જોવા મળે છે. આ રોગ ક્યારેક બન્ને પગે અથવા તો ઘીમે ધીમે બન્ને પગે ફેલાતો જાય છે. આ સૂજેલાઘૂંટણવાળા ભાગ તપાસતાંઅંદરનાં ભાગમાં કોઇ જાડું પ્રવાહી ભર્યું હોય તેમ દબાવતાં ખ્યાલ આવે છે. આયુર્વેદે આમ શબ્દ વાપર્યો છે તે સાંધાંઓ ઉપર છવાયેલોઆમનો ખૂબ જ ભારે જથ્થો સૂચવે .છે માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેનાં થાણાંજમાવેછે.થાણાંએટ્લા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી,ભારેસામના પછી જ આ રોગ પીછેહઠ કરે છે..આ રોગમાં પગ લાંબો કે ટૂકોકરવોહોયતોરોગીને ખૂબ જ વસમું લાગે છે. થોડાં ડગલાં ચાલતા જ ભારે પીડા થવા માંડે છે અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમા મુખ્યત્વે વેદના, સંધીઓમાં કંપન joint stiffness અને અંગ વિકૃતિ Deformity જોવા મળે છે.

કારણો :ચિકિત્સાક્ષેત્રેના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણનાસાંધાં ના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીઘો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધાં ઉપર ભારણ વધુ પડે. કેટલાક કુંટુંબમાં આ રોગ વારસાગત ઊતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દૃષ્ટિ છે. જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે.

સાંધાના રોગો, માર વાગવો, સાંધાંનીલીસ્સી સપાટી ખરબચડી બની જાય છે, જેના કારણે ઘૂંટણના સાંધાં વધુ પ્રમાણમાં ઘસાય છે. વિરૂધ્ધ આહાર વિહારથી લોહીમાં એક પ્રકારની ખટાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે.અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે. ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારનાસેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથીઘૂંટણનાસાંધાંપકડાયછે.આસાંધાંઓમાં સોજો આવે છે, ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તોદ્રવત્ એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે, જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જોવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જોવામાં આવે છે.પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં,સુવાવડ કે કસુવાવડ પછી મધુ-મેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલામાનવીઓને આ રોગ વિશષ પ્રમાણમાં થાય છે.

લક્ષણો :એક યા બન્ને પગનાઘૂંટણનોદુ:ખાવો એ મુખ્ય ફરિયાદ હોય છે.રોગની શરૂઆતમાં સવારે ઊઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુ:ખે છે અને થોડી હરફર થયા પછી દુ:ખાવો ઓછો થઇ જાય છે.

2 / 4

ચાલવાથી ધીમે ધીમેદુ:ખાવો વધે છે,એક સાથે વધુ ચાલવામાં આવે તો સોજો અને કળતર વધી જાય છે.સમય જતાં આ દુ:ખાવોકાયમનો બની રહે છે.દુ:ખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી,ક્યારેક પગ લંગડાયછે,ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે.અને તેના હલનચલનમાં કટ્કટ્ અવાજ પણ આવે છે.પલાંઠી વાળીને કે ઉભડક બેસવામાં તેમજ દાદર ચઢવા-ઉતરવામાં ખૂબ દુ:ખાવો થાય છે.ઘૂંટણનાપાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરિયાદ કરે છે.આજકાલ પગના ઘૂંટણ ઝલાઇ ગયાની ફરિયાદ વધુ જોવામાં આવે છે. કારણ કે,આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી, અતિ ભારે ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે. તેથી વગરશ્રમે થાક લાગે છે.પેશાબની હાજત વધે છે તેમજ વાયુનાઉપદ્રવો અને બેચેનીની અસર જણાય છે.આમનો સંચય જેમ જેમ વધતો જાય છે,તેમ તેમ તે ઘૂંટણનાસ્ત્રોતોમાં એકઠો થતો જાય છે. અસહ્ય વેદનાને લીધે કોઇ કાર્ય કરી શકાતુંનથી.પરિણામે ખૂબજ લાંબા સમય સુધી હેરાનગતી ચાલુ રહે છે.આ વ્યાધી મોટે ભાગે મોટી ઉંમરમાં જોવામાં આવે છે.પણ ઠીક ઠીક પ્રમાણમાં થતા જોવામાં આવે છે.

આ રોગો મોટા ભાગે કષ્ટસાધ્ય અને અસાધ્યની કક્ષાની ગણત્રીના છે. કૌષ્ટુકશીર્ષનેપાશ્ર્ચાત્યવૈંદકમાં Synoviteકહે છે.

ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને, સીંરીજ થી બહાર ખેંચી લઇ પીડા ઓછી થાય તે માટે ઝાયલોકૈનકોર્ટીઝોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે. પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે.પણ સમય જતાં ફરીથી આ રોગનો હુમલો થઇ આવે છે ત્યારે ફરીથી આ ઔષધોનાંધારવા જેટલા પરિણામ આવતાં નથી.એહકિકત પરત્વે પણ ઠીક ઠીક વિચારણા આ ઔષધોવાપરવા પરત્વે માગી લે છે.

આયુર્વેદતો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય,આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે.આ રોગમાં પણ મહારાસ્નાદિકવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્વ આપે છે.

મારી ચિકિત્સા માટે આવતા આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે,એકરોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું, એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા સાથે જુદાં જુદાંઔષધોની યોજના યોજું છું, સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિહંનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિકવાથ સાથે તૈયાર કરેલ એંરડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું.અને ઉપરનાંઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું.

આ રોગની કોઇ પણ અવસ્થામાંરેતીનોશેક,વાતહરવનસ્પતિઓનું સ્વેદન, વાતહરલેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી મને જણાયાં છે.

આ રોગના રોગીને જો મધુમેહનો ઉપદ્રવ હોયતોમધુપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ  ઉપરનાંસૂચવેલાંઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવા જોઇએ.

3 / 4

આ રોગના રોગી મેદસ્વી હોયતો ક્રમશ: વજન ઘટાડવું ખૂબજ મહત્વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાંસુધી આ રોગને કાયમનોમટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારો

  • (1) મહારાસ્નાદિકવાથ: 20 ગ્રામ અને પુનર્નવાષ્ટકકવાથ 20 ગ્રામ. આ બન્ને કવાથોશાસ્ત્રોક્ત છે. જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ 20-20 ગ્રામ ભૂકો બન્નેમાંથી લઇ,16 ગણા પાણીમાં ઉકાળીચોથાભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણાકોઠે પીવું.
  • (2) મેથી ભુકો કરી 1 ચમચી, 1 કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજપીવું. આ રીતે ન પી શકાયતોમેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને 1 ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી.
  • (3) પીળો લેપ : રેવંચીનોશિરોખરાય લોબાન સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી બાટલીભરી લેવી. એક મોટા ચમચા જેટલું લેવું  અને પાણીમાં ખદબઢાવી સહન થાય તેવો ગરમ ગરમ લેપ કરી પાટો બાંધી લેવો  આ લેપ પીડા મટાડે છે સોજા  ઉતારે છે. આ લેપ આ રોગમાં ખૂબજ ઉપયોગી છે.
  • (4) રસ ઔષધીમાંબૃ. વાતચિંતામણી રસ ૧૨૦ મી.ગ્રા., મહાયોગરાજગુગળ ૨૪૦મી.ગ્રા,,શૃંગ ભસ્મ ૧ ગ્રામ, કરાસકર ચૂર્ણ ૧૨૦મી.ગ્રા.સારી રીતે મેળવી ૨ પડીકા કરવા. સ્વર સાંજ ઈ પડીકી ગરમ પાણી સાથે લેવી. સુ. યોગેન્દ્ર રસ ,એકાંગવીર રસ, વાતવિધ્વંસરસનો પ્રયોગ પન કરી શકાય છે
  • (5) વાતગજાંકુશ: ઘટકરસસિંદૂર, લોહભસ્મ, માક્ષિકા ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વચ્છ્નાગ, શુદ્ધ તાલ,  હરડે, સૂંઠ, મરી, પીપર, કાકડાસીંગી, અરણીની છાલ અને શુદ્ધ ટંકણ સરખે ભાગે લઈ બધાને વિધિસર મેળવી ગોરખમુંડી અને નગોડ પાનના રસની એકએક ભાવના આપી ૨૪૦ મિ.ગ્રામની ગોળી કે ટીકડી બનાવવી.

માત્રા –  ૧થી ૨ ગોળી રાસનાસપ્તક ક્વાથ સાથે લેવી. ક્વાથ ૨૦ ગ્રામ ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી પીવું. ઉપયોગ – ગૃધ્રસી સાયટીકા તેમજ કૌષ્ટુક શીર્ષ  સાયનોવાઇટ)    ઢીંચણ શિયાળના માથા જેવો ફૂલી જવાના રોગમાં તથા વિશ્વાચી અને અપબાહુક જેવા પીડાકારી રોગોમાં ખૂબ જ ઉપયોગી ઔષધ છે.

  • (6) એક અકસીર આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી

ટીકડી ના ઘટકો : શુધ્ધ ગુગળ 120 મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ 1.2 મિલિ ગ્રામ, ત્રિંભડિ 30 મિલિ ગ્રામ, સુરંજાનશીરી 15 મિલિ ગ્રામ, હિરાબોળ 15 મિલિ ગ્રામ, શુધ્ધ કારસ્કર 30 મિલિ ગ્રામ, લસણ 30 મિલિ ગ્રામ, ચંદ્રોદય 30 મિલિ ગ્રામ આયુર્વેદનુંકહેવુ છે કે વાયુના પ્રકોપ

4 / 4

વગર પીડા થતી નથી વિકૃત બનેલો વાયુ વૃધ્ધિ પામી આમ રક્ત સાથે મળી શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે.

ગુગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે.એટલુંજ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુનીવિકૃતિઓનેમટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે.  ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનોવાતહરગુણ, સુરજાનનોસંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિંભડિનોઆમદોષ નિવારણ ગુણનો સુમેળ આ ટીકડી માં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે. પાશ્ચાત્ય વૈદકમાંવાતજન્ય વ્યાધિયોનેજ્ઞાનતંતુઓને સાથે સંબંધ છે તેમ મનાય છે જયારેઆયુર્વેદના મત મુજબ જ્ઞાનતંતુઓના દર્દી વાતરોગમાંજ આવે છે. જેથી વાતજન્ય તેમજ જ્ઞાનતંતુઓનર્વસસિસ્ટમ   સાથે સંબંધિત વાતરોગમાં આ ટીકડી લાભપ્રદ ઔષધ પુરવાર થયું છે.

માત્રા: ૨-૨ ટીકડી દિવસમાં ત્રણ વાર ,વધુ પીડાવાળીઅવસ્થામાં રોજ ૧૨ ટીકડી સુધી લય શકાય પૂ ચિકિત્સકની સલાહ અનુસાર જ કરવી હિતાવહ  છે

ડો.શ્રીરામ વૈદ્યMob:9825009241

Email: sksvaid@outloરક્તનીવિકૃતિથીok.com

મુખ્યત્વે વાત અને આ રોગનો ઉદભવ થાય છે. તેમાં તિવ્ર પીડા અને ઘૂંટણનો સોજો મુખ્યતવે જોવા મળે છે. આ રોગ ક્યારેક બન્ને પગે અથવા તો ઘીમે ધીમે બન્ને પગે ફેલાતો જાય છે. આ સૂજેલાઘૂંટણવાળા ભાગ તપાસતાંઅંદરનાં ભાગમાં કોઇ જાડું પ્રવાહી ભર્યું હોય તેમ દબાવતાં ખ્યાલ આવે છે. આયુર્વેદે આમ શબ્દ વાપર્યો છે તે સાંધાંઓ ઉપર છવાયેલોઆમનો ખૂબ જ ભારે જથ્થો સૂચવે .છે માનવીના જીવનની અર્ધી સદીની આસપાસ આ રોગ તેનાં થાણાંજમાવેછે.થાણાંએટ્લા માટે કહું છું કે ભારે પ્રયત્નો પછી,ભારેસામના પછી જ આ રોગ પીછેહઠ કરે છે..આ રોગમાં પગ લાંબો કે ટૂકોકરવોહોયતોરોગીને ખૂબ જ વસમું લાગે છે. થોડાં ડગલાં ચાલતા જ ભારે પીડા થવા માંડે છે અને ચાલવું મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ આ રોગમાં સર્જાય છે. તેમા મુખ્યત્વે વેદના, સંધીઓમાં કંપન joint stiffness અને અંગ વિકૃતિ Deformity જોવા મળે છે.

કારણો :ચિકિત્સાક્ષેત્રેના અનુભવ ઉપરથી એમ તારણ કાઢવામાં આવ્યું છે કે, ઘૂંટણનાસાંધાં ના સોજાને મેદસ્વી વ્યક્તિઓ સાથે સીઘો સંબંધ છે. જેમ શરીરનો મેદ-ચરબી વધારે અને જેમ જેમ ઉપર વજન વધુ પડે તેમ તેમ આ સાંધાં ઉપર ભારણ વધુ પડે. કેટલાક કુંટુંબમાં આ રોગ વારસાગત ઊતરે છે તેનું મૂળભૂત કારણ દોષ-દૃષ્ટિ છે. જેથી આ રોગને વારસાગત માનવો ભૂલ ભરેલું છે.

સાંધાના રોગો, માર વાગવો, સાંધાંનીલીસ્સી સપાટી ખરબચડી બની જાય છે, જેના કારણે ઘૂંટણના સાંધાં વધુ પ્રમાણમાં ઘસાય છે. વિરૂધ્ધ આહાર વિહારથી લોહીમાં એક પ્રકારની ખટાશ વધે છે તથા ક્ષારનો ભાગ ઘટે છે.અપક્વ અન્ન અને અજીર્ણ એનું કારણ છે. ઠંડી અને શરદીમાં વધુ પડતી ખટાશ ખાનારને, વધુ શીતળ હવામાન તથા શીતળ આહાર-વિહારનાસેવનથી લોહીમાં વિકાર થાય છે અને લોહીમાં ખટાશ વધવાથીઘૂંટણનાસાંધાંપકડાયછે.આસાંધાંઓમાં સોજો આવે છે, ભારે પીડા થાય છે અને જેને શૂળ જેવી વેદના કહીએ તેવી વેદના સાથે તોદ્રવત્ એટલે કે એ ભાગ તૂટી પડતો હોય એટલી ભારે પીડા થાય છે, જેથી ઘૂંટણ વાળવામાં પીડા થતી જોવામાં આવે છે. પ્રમેહ કે ચાંદી જોવામાં આવે છે.પ્રમેહ કે ચાંદી જેવા રોગોમાં,સુવાવડ કે કસુવાવડ પછી મધુ-મેહની જીર્ણ અવસ્થામાં અને ચરબીથી લદાયેલામાનવીઓને આ રોગ વિશષ પ્રમાણમાં થાય છે.

લક્ષણો :એક યા બન્ને પગનાઘૂંટણનોદુ:ખાવો એ મુખ્ય ફરિયાદ હોય છે.રોગની શરૂઆતમાં સવારે ઊઠ્યા પછી થોડીવાર ઘૂંટણ દુ:ખે છે અને થોડી હરફર થયા પછી દુ:ખાવો ઓછો થઇ જાય છે.

2 / 4

ચાલવાથી ધીમે ધીમેદુ:ખાવો વધે છે,એક સાથે વધુ ચાલવામાં આવે તો સોજો અને કળતર વધી જાય છે.સમય જતાં આ દુ:ખાવોકાયમનો બની રહે છે.દુ:ખાવાના કારણે ઢીંચણથી પગ સીધો કરી શકાતો નથી,ક્યારેક પગ લંગડાયછે,ક્યારેક પગ ખોટો પડી જતો હોય તેમ લાગે છે.અને તેના હલનચલનમાં કટ્કટ્ અવાજ પણ આવે છે.પલાંઠી વાળીને કે ઉભડક બેસવામાં તેમજ દાદર ચઢવા-ઉતરવામાં ખૂબ દુ:ખાવો થાય છે.ઘૂંટણનાપાછળના ભાગની નસો ખેંચાય છે તેવી રોગી ફરિયાદ કરે છે.આજકાલ પગના ઘૂંટણ ઝલાઇ ગયાની ફરિયાદ વધુ જોવામાં આવે છે. કારણ કે,આપણી વધતી જતી એશ-આરામી રહેણી-કરણી, અતિ ભારે ખોરાક અને પુષ્કળ આરામના કારણે શરીરમાં પરિગ્રહ વધે છે. તેથી વગરશ્રમે થાક લાગે છે.પેશાબની હાજત વધે છે તેમજ વાયુનાઉપદ્રવો અને બેચેનીની અસર જણાય છે.આમનો સંચય જેમ જેમ વધતો જાય છે,તેમ તેમ તે ઘૂંટણનાસ્ત્રોતોમાં એકઠો થતો જાય છે. અસહ્ય વેદનાને લીધે કોઇ કાર્ય કરી શકાતુંનથી.પરિણામે ખૂબજ લાંબા સમય સુધી હેરાનગતી ચાલુ રહે છે.આ વ્યાધી મોટે ભાગે મોટી ઉંમરમાં જોવામાં આવે છે.પણ ઠીક ઠીક પ્રમાણમાં થતા જોવામાં આવે છે.

આ રોગો મોટા ભાગે કષ્ટસાધ્ય અને અસાધ્યની કક્ષાની ગણત્રીના છે. કૌષ્ટુકશીર્ષનેપાશ્ર્ચાત્યવૈંદકમાં Synoviteકહે છે.

ઘૂંટણના ભાગમાં ભરાયેલા આ દોષને-આમને, સીંરીજ થી બહાર ખેંચી લઇ પીડા ઓછી થાય તે માટે ઝાયલોકૈનકોર્ટીઝોનનું મિશ્રણ આ સંધિમાં આપવામાં આવે છે. પરિણામે કેટલાક દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે.પણ સમય જતાં ફરીથી આ રોગનો હુમલો થઇ આવે છે ત્યારે ફરીથી આ ઔષધોનાંધારવા જેટલા પરિણામ આવતાં નથી.એહકિકત પરત્વે પણ ઠીક ઠીક વિચારણા આ ઔષધોવાપરવા પરત્વે માગી લે છે.

આયુર્વેદતો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય,આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે.આ રોગમાં પણ મહારાસ્નાદિકવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્વ આપે છે.

મારી ચિકિત્સા માટે આવતા આ રોગના રોગીઓમાં મારો અનુભવ એમ કહે છે કે,એકરોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું, એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા સાથે જુદાં જુદાંઔષધોની યોજના યોજું છું, સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિહંનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિકવાથ સાથે તૈયાર કરેલ એંરડતેલ તેનો ઉપયોગ સવિશેષ રીતે કરું છું.અને ઉપરનાંઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા સૂચવું છું.

આ રોગની કોઇ પણ અવસ્થામાંરેતીનોશેક,વાતહરવનસ્પતિઓનું સ્વેદન, વાતહરલેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી મને જણાયાં છે.

આ રોગના રોગીને જો મધુમેહનો ઉપદ્રવ હોયતોમધુપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ  ઉપરનાંસૂચવેલાંઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવા જોઇએ.

3 / 4

આ રોગના રોગી મેદસ્વી હોયતો ક્રમશ: વજન ઘટાડવું ખૂબજ મહત્વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાંસુધી આ રોગને કાયમનોમટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.

ઉપચારો

  • (1) મહારાસ્નાદિકવાથ: 20 ગ્રામ અને પુનર્નવાષ્ટકકવાથ 20 ગ્રામ. આ બન્ને કવાથોશાસ્ત્રોક્ત છે. જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ 20-20 ગ્રામ ભૂકો બન્નેમાંથી લઇ,16 ગણા પાણીમાં ઉકાળીચોથાભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણાકોઠે પીવું.
  • (2) મેથી ભુકો કરી 1 ચમચી, 1 કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર-સાંજપીવું. આ રીતે ન પી શકાયતોમેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને 1 ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી.
  • (3) પીળો લેપ : રેવંચીનોશિરોખરાય લોબાન સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી બાટલીભરી લેવી. એક મોટા ચમચા જેટલું લેવું  અને પાણીમાં ખદબઢાવી સહન થાય તેવો ગરમ ગરમ લેપ કરી પાટો બાંધી લેવો  આ લેપ પીડા મટાડે છે સોજા  ઉતારે છે. આ લેપ આ રોગમાં ખૂબજ ઉપયોગી છે.
  • (4) રસ ઔષધીમાંબૃ. વાતચિંતામણી રસ ૧૨૦ મી.ગ્રા., મહાયોગરાજગુગળ ૨૪૦મી.ગ્રા,,શૃંગ ભસ્મ ૧ ગ્રામ, કરાસકર ચૂર્ણ ૧૨૦મી.ગ્રા.સારી રીતે મેળવી ૨ પડીકા કરવા. સ્વર સાંજ ઈ પડીકી ગરમ પાણી સાથે લેવી. સુ. યોગેન્દ્ર રસ ,એકાંગવીર રસ, વાતવિધ્વંસરસનો પ્રયોગ પન કરી શકાય છે
  • (5) વાતગજાંકુશ: ઘટકરસસિંદૂર, લોહભસ્મ, માક્ષિકા ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વચ્છ્નાગ, શુદ્ધ તાલ,  હરડે, સૂંઠ, મરી, પીપર, કાકડાસીંગી, અરણીની છાલ અને શુદ્ધ ટંકણ સરખે ભાગે લઈ બધાને વિધિસર મેળવી ગોરખમુંડી અને નગોડ પાનના રસની એકએક ભાવના આપી ૨૪૦ મિ.ગ્રામની ગોળી કે ટીકડી બનાવવી.

માત્રા –  ૧થી ૨ ગોળી રાસનાસપ્તક ક્વાથ સાથે લેવી. ક્વાથ ૨૦ ગ્રામ ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી પીવું. ઉપયોગ – ગૃધ્રસી સાયટીકા તેમજ કૌષ્ટુક શીર્ષ  સાયનોવાઇટ)    ઢીંચણ શિયાળના માથા જેવો ફૂલી જવાના રોગમાં તથા વિશ્વાચી અને અપબાહુક જેવા પીડાકારી રોગોમાં ખૂબ જ ઉપયોગી ઔષધ છે.

  • (6) એક અકસીર આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી

ટીકડી ના ઘટકો : શુધ્ધ ગુગળ 120 મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ 1.2 મિલિ ગ્રામ, ત્રિંભડિ 30 મિલિ ગ્રામ, સુરંજાનશીરી 15 મિલિ ગ્રામ, હિરાબોળ 15 મિલિ ગ્રામ, શુધ્ધ કારસ્કર 30 મિલિ ગ્રામ, લસણ 30 મિલિ ગ્રામ, ચંદ્રોદય 30 મિલિ ગ્રામ આયુર્વેદનુંકહેવુ છે કે વાયુના પ્રકોપ

4 / 4

વગર પીડા થતી નથી વિકૃત બનેલો વાયુ વૃધ્ધિ પામી આમ રક્ત સાથે મળી શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે.

ગુગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે.એટલુંજ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુનીવિકૃતિઓનેમટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે.  ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનોવાતહરગુણ, સુરજાનનોસંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિંભડિનોઆમદોષ નિવારણ ગુણનો સુમેળ આ ટીકડી માં કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે. પાશ્ચાત્ય વૈદકમાંવાતજન્ય વ્યાધિયોનેજ્ઞાનતંતુઓને સાથે સંબંધ છે તેમ મનાય છે જયારેઆયુર્વેદના મત મુજબ જ્ઞાનતંતુઓના દર્દી વાતરોગમાંજ આવે છે. જેથી વાતજન્ય તેમજ જ્ઞાનતંતુઓનર્વસસિસ્ટમ   સાથે સંબંધિત વાતરોગમાં આ ટીકડી લાભપ્રદ ઔષધ પુરવાર થયું છે.

માત્રા: ૨-૨ ટીકડી દિવસમાં ત્રણ વાર ,વધુ પીડાવાળીઅવસ્થામાં રોજ ૧૨ ટીકડી સુધી લય શકાય પૂ ચિકિત્સકની સલાહ અનુસાર જ કરવી હિતાવહ  છે.

Related posts

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

Reporter1

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

Reporter1

ALIA BHATT JOINS LEVI’S® AS GLOBAL BRAND AMBASSADOR, USHERING IN A NEW ERA OF FIT AND FASHION

Reporter1
Translate »