Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

ધો.૧૦ ગુજરાતીના પ્રશ્નપત્રમાં ૫૦થી વધુ ભૂલોનો પર્દાફાશ

ભાષાના પેપરમાં જ ભાષાની ‘ઐસીતૈસી’

સોશિયલ મીડિયા પર નિષ્ણાંતોએ બોર્ડની બેદરકારીના લીરેલીરા ઉડાડ્યાઃ કાવ્યથી લઈ વ્યાકરણ સુધી ક્ષતિઓની હારમાળા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૩ માર્ચ ૨૦૨૬ — ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં ભાષાની શુદ્ધતાના ધજાગરા ઉડ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ગત ૨૬મી ફેબ્રુઆરીના રોજ લેવાયેલા ગુજરાતી (પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રમાં જોડણી, વ્યાકરણ અને તથ્યોની ૫૦થી પણ વધુ નાની-મોટી ભૂલો હોવાનો દાવો શિક્ષણ જગતના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી મામલે હાલ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ સાથે શિક્ષણ બોર્ડની આકરી ટીકા થઈ રહી છે.શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬મી ફેબ્રુઆરીના રોજ ધો.૧૦માં ગુજરાતી સહિતની વિવિધ પ્રથમ ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતી વિષયના પેપરમાં જોડાણી સહિતની નાના-મોટી અંદાજે ૫૦થી વધુ ભાષાકીય ભૂલ હોવાનો દાવો નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં સોશ્યિલ મિડીયા પર વાયરલ કરાયેલા પેપરમાં કયા પ્રકારની ભૂલ થઇ છે તેની પણ નોંધ કરવામાં આવી હતી. ભાષાના પેપરમાં આ પ્રકારની ભૂલને લઇને હાલમાં સોશ્યિલ મિડીયા પર બોર્ડની આકરી ટીકા કરવામાં આવી રહી છે. કાવ્ય પરથી પ્રશ્નના જવાબમાં કાવ્યમાં જ અનેક પ્રકારની ભૂલો દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત વ્યાકરણ વિભાગમાં પણ અનેક પ્રકારની ભૂલો દર્શાવવામાં આવી છે.પદ્ય આધારિત પ્રશ્નોના જવાબમાં પણ ખોટા જવાબો આપવામાં આવ્યા છે. વિષય નિષ્ણાંત દ્વારા સોશ્યિલ મિડીયામાં દરેક પ્રશ્નની છણાવટ કરીને બોર્ડ દ્વારા કેવા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે તેનું ચિત્ર ઉજાગર કર્યું છે. જોકે, સોશ્યિલ મિડીય પર વાયરલ થયેલા આ પ્રશ્નપત્ર અંગે બોર્ડના સત્તાધીશો કહે છે કે, બોર્ડની પરીક્ષાની ગોપનિયતા જાળવવા માટે કોઇપણ નિષ્ણાંત દ્વારા કાઢવામાં આવતાં પ્રશ્નપત્ર શિક્ષણ બોર્ડ કે વિભાગ જોઇ શકતું નથી. દરેક વિષયમાં પાંચ નિષ્ણાંત પાસેથી પેપર કઢાવવામાં આવે છે. નિષ્ણાંત પોતે પેપર કાઢ્યા બાદ સીલબંધ કવરમાં બોર્ડમાં જમા કરાવતાં હોય છે. બોર્ડના ચેરમેન દ્વારા પાંચ પૈકી કોઇપણ એક પ્રશ્નપત્ર પસંદ કરીને સીધું પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી આપવામાં આવતું હોય છે. આ દરમિયાન કોઇ કવર ખોલવામાં આવતું નથી. પ્રિન્ટમાં પ્રશ્નપત્ર કયારે મોકલવામાં આવ્યું તેની જાણકારી ચેરમેન સિવાય કોઇને પણ હોતી નથી. આ પરિસ્થિતિમાં પરીક્ષાની ગોપનિયતા જાળવવા માટે નિષ્ણાંત દ્વારા આપવામાં આવતાં પ્રશ્નપત્રનું પ્રુફ રીડીંગ કે ભુલો સુધારવા જેવી કામગીરી પણ થતી નથી. જોકે, ગુજરાતીની પેપર અંગે હજુસુધી કોઇ રજૂઆત, સૂચના કે ફરિયાદ પણ મળી નથી.

Related posts

યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

Master Admin

વડોદરામાં દારૂ સંતાડવા મકાનની અંદરથી બનાવ્યું વેક્યુમ પ્લેટ વાળું હાઇટેક ગુપ્ત ભોંયરું

Master Admin

અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો

Master Admin

Leave a Comment

Translate »