Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

સરકારી કર્મીઓને ગાંધીનગરમાં બેઠક માટે નહી બોલાવાયઃ હર્ષ સંઘવી

આજથી ૩૦૦ નવી બસ દોડતી કરાશે

ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫ મે ૨૦૨૬ — ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં.

ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી પણ પોતાની કાર છોડીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં આવ્યા હતાં. જ્યારે અન્ય મંત્રીઓ પણ ઈલેક્ટ્રીક વાહનો લઈને આવ્યા હતાં. હવે સરકારી કર્મચારીઓને પણ કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગો માટે અમલ કરાશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવતીકાલથી પરિવહન મજબૂત કરવા ૩૦૦ નવી બસ દોડતી કરવામાં આવશે.રાજ્યની જનતાના પરિવહન માટે નવી ST બસ દોડતી કરવામાં આવશે.કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપર ST બસ દોડતી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે કટીબદ્ધ છે. વડાપ્રધાનની અપીલને લોકોનું ભારે સમર્થન આપવામાં આવ્યું છે.

સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈપણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે.મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની જનતા એ વડાપ્રધાન મોદીની અપીલને પ્રેમથી સ્વીકારી છે.સરકારના અધિકારીઓને પણ કાર પુલિંગ માટે સૂચનાઓ આપી છે. અન્ય જિલ્લાના સરકારી કર્મચારીઓને ગાંધીનગર કોઈ પણ બેઠકમાં નહીં બોલાવવામાં આવે.મિટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે.

Related posts

અમદાવાદ શહેરના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા

Master Admin

સુરતમાં દારૂના નશામાં કારે એક પછી એક ત્રણ વાહનોને લીધા અડફેટે

Master Admin

૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે

Master Admin

Leave a Comment

Translate »