કોરોનાકાળથી સીધી ફ્લાઈટ્સ હતી બંધ
લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશો વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે, જે કોરોના બાદ સંબંધો સામાન્ય થવાનું પ્રતીક છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ માર્ચ ૨૦૨૬ –– ચીની દૂતાવાસના પ્રવક્તા યૂ જિંગે આજે શનિવારે એક મહત્વની જાહેરાત કરી છે. એર ચાઈના બીજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે.
યૂ જિંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આ માત્ર મુસાફરી નથી પરંતુ વેપાર, પ્રવાસન, વિશ્વાસ અને SCO, બ્રિક્સ જેવા મંચો પર લોકો વચ્ચે સહયોગ વધારવા માટેનું એક મોટું પગલું છે. જેનાથી બંને દેશોના નાગરિકોને સીધી કનેક્ટિવિટી મળશે, સમય અને ખર્ચની બચત થશે. લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશોની રાજધાનીઓ વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે, જે કોરોના બાદ સંબંધો સામાન્ય થવાનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારી અને સરહદ પરના તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની તમામ સીધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી હતી. લગભગ ૬ વર્ષ પછી, ઓક્ટોબર ૨૦૨૫માં આ ઉડાન સેવાઓ ફરી શરૂ થઈ. ઈન્ડિગોએ કોલકાતા-ગ્વાંગઝૂ રૂટ શરૂ કર્યો, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સે શાંઘાઈ-દિલ્હી ફ્લાઈટ્સ શરૂ કરી અને એર ઈન્ડિયાએ ફેબ્રુઆરી ૨૦૨૬થી દિલ્હી-શાંઘાઈ ફ્લાઈટ્સ શરૂ કરી. હવે એર ચાઈનાની બીજિંગ-દિલ્હી ફ્લાઈટ્સ આ મુસાફરીને વધુ મજબૂત બનાવશે. અગાઉ પણ એર ચાઈના દિલ્હી અને મુંબઈ સુધી ઉડાન ભરતી હતી, પરંતુ મહામારી અને તણાવને કારણે બધું અટકી ગયું હતું. આ પગલું બંને દેશોની કૂટનીતિમાં સકારાત્મક ફેરફાર દર્શાવે છે.
આ ફ્લાઈટ ફરીથી શરૂ થતાં વેપાર અને પ્રવાસનને મોટું પ્રોત્સાહન મળશે. બંને દેશો વચ્ચે વેપારી આદાનપ્રદાન સરળ બનશે અને વેપારીઓ ઝડપથી મુસાફરી કરી શકશે. પ્રવાસીઓ ટ્રાન્ઝિટ વગર બીજિંગના ઐતિહાસિક સ્થળો અને દિલ્હીના સાંસ્કૃતિક વારસાને જોઈ શકશે. તેનાથી લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે અને વિશ્વાસ નિર્માણમાં મદદ મળશે. આર્થિક દૃષ્ટિકોણથી તે બંને અર્થતંત્રો માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે પ્રવાસન અને વેપારથી રોજગારી અને આવક વધશે. SCO અને બ્રિક્સ જેવા મંચો પર સહયોગ વધુ મજબૂત બનશે, જે પ્રાદેશિક વિકાસ માટે જરૂરી છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં વધુ એક સકારાત્મક પગલું છે. બ્રિક્સ અને SCO જેવા મંચો પર સહયોગ વધારવા માટે વધુ સારી કનેક્ટિવિટી જરૂરી છે. બંને દેશો વિશ્વની બે સૌથી મોટી વસ્તી ધરાવતા રાષ્ટ્રો છે અને તેમની વચ્ચે સારા સંબંધો પ્રાદેશિક સ્થિરતા માટે જરૂરી છે. આશા છે કે ભવિષ્યમાં વધુ રૂટ્સ ખુલશે અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. પરંતુ સરહદી મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવી પણ એટલી જ જરૂરી છે. નવા સંબંધોની શરૂઆત બંને દેશોની કૂટનીતિમાં પરિપક્વતા દર્શાવે છે અને ભવિષ્યમાં મજબૂત ભાગીદારીનો પાયો નાખશે.


1 comment
Earn up to 40% commission per sale—join our affiliate program now!