Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આંબરડી ગામે વીજળી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોનાં મોત નિપજયા છે. આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી 8- લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વિજળી પડતાં બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળી ને પાંચ લોકોનાં સ્થળ પર જ કરુણ મોત નિપજયા હતા. અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળી ને રૂપિયા 75, 000ની સહાયતા રાશી અર્પણ કરી છે. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી છે.

Related posts

ભારત સંકીર્ણ નથી મહાભારત છે

Reporter1

વિશ્વ એક એવા વળાંક પર છે જ્યાં દરેક ચાલ, દરેક નિર્ણય અને દરેક પ્રતિક્રિયા વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને અસર કરી શકે છે.

Master Admin

પ્રતિભાની શક્તિ વિરુદ્ધ શક્તિની પ્રતિભા – નોબેલ શાંતિ પુરસ્કારઃ પ્રતિષ્ઠા કે રાજકારણ? – વૈશ્વિક રાજકારણ, શક્તિનું સંતુલન, બદલાતી વિશ્વ વ્યવસ્થા, અને નેતૃત્વની નવી ભાષા

Master Admin
Translate »