Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઉનાળામાં ઝાડા અને મરડો, એ બેનો તફાવત

ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob ૯૮૨૫૦૦૯૨૪૧

Email: sgvaid19@outlook.com

મોટા ભાગે લોકો મરડો અને જુલાબ એ બન્ને વચ્ચેનો ભેદ સમજી શકતા નથી એટલે હંમેશાં ડાયેરિયા થયા છે એવો કૉમન શબ્દપ્રયોગ જ કરે છે. પેટમાં આંકડી આવ્યા કરે. જુ લાબ અને મરડો એ બે અલગ તકલીફો છે. જુલાબમાં પાણી જેવો પાતળો મળ નીકળે છે. પેટ આખું ખાલી થઈ જાય એ પછી પણ ઝાડા અટકે નહીં. જેવું પાણી પીઓ કે થોડી જ મિનિટોમાં એ પાણી પણ નીકળી જાય. જાણે આંતરડાં અંદર અમળાતા હોય એવું લાગે. મળમાં ભારોભાર ચીકાશ હોય. વારંવાર ટૉઇલેટ જવાની ઇચ્છા થયા કરે, પણ ખૂબ થોડો મળ નીકળે, જાણે આખું પેટ ખાલી થતું જ નથી એવું લાગે, કંઈ પણ પેટમાં નાખો એટલે ફરી પેટમાં અમળાટ શરૂ થઈ જાય. આ બધાં લક્ષણો છે મરડાનાં.. ઝાડા એ ખરાબ પાચન-વ્યવસ્થાનું એક લક્ષણ છે. જ્યારે અપચન લાંબો સમય ચાલે, અર્જીણ અને આમ લાંબો સમય સુધી પેદા થયા જ કરતો હોય તો પાચન-વ્યવસ્થા સાવ જ ખોરવાઈ જાય છે. જોકે મરડા અને ઝાડામાં ફરક, વાસી-બગડેલી ચીજ ખાવાને કારણે ફૂડ-પૉઇઝનિંગ થયું હોય, અકરાંતિયાની જેમ ખાધું હોય, પચવામાં ભારે ચીજ ખાધી હોય, વધુપડતી ઠંડી ચીજો ખાધી હોય તો પાચન-વ્યવસ્થા ખોરવાઈને ઝાડા થઈ જાય છે. પાચનની સમસ્યા જૂની થઈ જાય ત્યારે મરડો થયો કહેવાય. મરડામાં મંદાદ્યગ્નને કારણે કાચો રહેલો મળ આંતરડાંની કોમળ ત્વચા પર ચોંટે છે અને દૂષિત થયેલો અપાનવાયુ પીડા પેદા કરે છે. આયુર્વેદમાં મરડા માટે પ્રવાહિકા શબ્દ વપરાય છે. એમાં દરદીને વારંવાર મળ માટેની ઇચ્છા થાય છે, પણ ખૂબ બળ વાપર્યા પછી થોડોક મળ નીકળે છે. ખોરાક ખાધા પછી તરત પેટમાં દુખે છે. ખોરાક જઠર અને આંતરડાંમાંથી જસ્ટ પસાર થઈને પચ્યા વિના જ નીકળી જતો હોવાથી જરૂરી પોષક તત્વો નથી મળતાં. પોષણ ન મળતું હોવાથી વજન ઘટે છે,. વારંવાર મળ કાઢવા માટે જોર કરવાથી આંતરડાંમાં સોજો, વશણ થાય અને ક્યારેક લોહી પણ પડવા લાગે. મોંમાં ચાંદા પડે છે અને શરીરમાં કળતર થવા લાગે છે

જ્યારે ઝાડામાં મળબંધ જરૂરી, માત્ર ઝાડા થયા હોય ત્યારે એની ચિકિત્સારૂપે તરત જ પાણી જેવી મળપ્રવૃત્તિ બંધ થાય એવી સારવાર કરવી જરૂરી છે. વધુપડતું પાણી શરીરમાંથી વહી ન જાય અને ડીહાઇડ્રેશનને કારણે જીવ જોખમમાં ન મુકાય એ માટે પાચનતંત્રને સંપૂર્ણ આરામ આપવાનું જરૂરી છે. પાણી જેવા પાતળા ઝાડા થતા હોય ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી થોડુંક, થોડુંક પીવું જોઈએ. તરત જ ઝાડા અટકે એ માટે સૂંઠ અને ગોળની લાડુડી બનાવીને ચણા જેટલી ગોળી મોંમાં ચૂસવા મૂકી શકાય. લગભગ બેથી ત્રણ સૂંઠગોળી લીધા પછી આપમેળે પાતળા પાણી જેવા ઝાડા થતા અટકી જાય છે. આ સાથે શરીરબળ ટકાવી રાખવા માટે ઇલેક્ટ્રૉલેટ પાઉડર અથવા તો ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્‌સ, પાણીમાં મેળવીને થોડી-થોડી વારે પીતા રહેવું. એમ કરવાથી શરીરમાં મિનરલ્સની કમી થઈને નબળાઈ આવતી અટકે છે. એક વાર ઝાડા અટકે એ પછી પાચન ક્રિયા સુદૃઢ બને એ માટે પચવામાં હલકી ચીજોથી ખોરાકની શરૂઆત કરવી. સાથે જ પાચકરસો ઉત્તેજિત થાય એવી ચીજો લેવી જોઈએ.
પ્રવાહિકામાં વારંવાર થોડો, થોડો મળ થતો હોય ત્યારે લોકો એ કેમ બંધ થાય એનો ઉકેલ શોધતા હોય છે, જે જરાય યોગ્ય નથી. મરડામાં હળવા રેચનની જરૂર છે. એ પણ અપક્વ આમને પકવીને કાઢે એવા રેચનની. આંતરડાંમાં ભરાઈ પડેલો અપાચિત આમ પચીને પાચનતંત્ર સાફ થઈ જાય એ માટે હરડે ઉત્તમ ઔષધ છે. હરડે મળને પકવીને ઢીલો કરે છે અને નીચે તરફ ધકેલીને બહાર કાઢી દે છે. એનાથી વાયુનું શમન થાય છે એટલે વેદના ઘટે છે, સરળતા થવાથી ધીમે-ધીમે આંતરડાંનો સોજો પણ આપમેળે ઘટે છે. છાશ અને દહીંમાં શેકેલું જીરું લીધા કરવું એ બેસ્ટ છે. પાચનવ્યવસ્થા થાળે પડવી શરૂ થાય એ વખતે દહીં-ભાત, મગનું પાણી, મગની દાળની પાતળી ખીચડી વગેરે લઈ શકાય ફરસાણ, આથેલી ચીજો, મેંદો, પાપડ-અથાણાં. ઘી, તેલ, વગેરે સદંતર બંધ કરવાં. મરડો થયો હોય ત્યારે ખાવાપીવામાં લાંબો સમય પરેજી અને કાળજી રાખવી જરૂરી છે.

મોટા પ્રમાણમાં લોકોની તંદુરસ્તીનો પ્રશ્ન નાનકડા બાળકો જેની ઉમર ૫ થી ૧૦ વર્ષની હોય તેમને થાય છે. આરોગ્યને લગતી સંસ્થાઓમાં ત્રીજા ભાગના નાનકડા છોકરાનો રોગ પાતળો જુલાબ હોય છે. એક સંકેત “ગેસ્ટ્રોએન્ટાઇટીસ” ઘણી બધી વાર આ શબ્દ તીક્ષ્ણ પાતળા જુલાબને કહેવાય છે. જુલાબ દિવસમાં લગભગ ત્રણ કરતા વધારે વાર થાય છે. જુલાબને એક અચાનક હુમલો કરતો રોગ બતાવેલ છે, જે લગભગ ૩ થી ૭ દિવસો સુધી ચાલે છે, અને કદાચ ૧૦ થી ૧૪ દિવસો પણ ચાલે છે. એ આપણા આતરડામાં ચેપ લાગવાથી થાય છે. જુલાબ એ એક પ્રવાહી પાણી જેવુ દ્રવ્ય આપણા પેટમાંથી નીકળે છે. આ પ્રવાહી જુલાબ દિવસમાં ત્રણથી વધારે વાર નીકળે છે. આ રોગની અસર લગભગ ૩ થી ૭ દિવસ ચાલે છે, અને કદાચ ૧૦ થી ૧૪ દિવસો સુધી પણ ચાલે છે. પાતળો જુલાબ એ એક આરોગ્યને લગતો વિકાસતા દેશોનો સામાજીક પ્રશ્ન છે. પાતળો જુલાબ એ મોટા પ્રમાણમાં ખરચાનો ભાર આરોગ્યને લાગતી સેવાને લાગે છે. લગભગ ૧૫% છોકરાની પથારીઓ વિકસિત દેશોમાં જુલાબને લીધે ભરાય જાય છે. પાતળા જુલાબને લગતા રોગો ઘણી બધી વાર મરણનુ મુખ્ય કારણ ૫ વર્ષોથી નીચેના છોકરાઓમાં હોય છે. આ ઘટના સૌથી વધારે ૬ થી ૧૧ મહીનાની વચલી ઉમરના ગાળામાં થાય છે.. પાતળો જુલાબ એ એક ઢીલુ, નરમ અને પાણી જેવુ પ્રવાહી ગુદાના રસ્તામાં હોય છે. ગેસ્ટ્રોએનટાયટીસમાં ખાસ કરીને ઘણી વાર તીક્ષ્ણ પાતળા જુલાબને નામે ઓળખાય છે. ઘણા બધાય બનાવોમાં પાતળો જુલાબ પાણી જેવો હોય છે પણ જેમાં લોહી દેખાય તો તેને મરડાનો રોગ થયો એમ કહેવાય છે. આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે. આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે. આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે.

સુંઠ અને જીરુ સાથે બાફેલાં ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે. સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે. એક હળવો જુલાબ લઈ ૧૫-૨૦ દીવસ માત્ર કેરીના રસ પર રહેવાથી સંગ્રહણી, પ્રવાહીકા અને પેટના રોગો મટે છે. દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવીંગ અને સુંઠનું થોડું ચુર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે. સુકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે. આયુર્વેદાનુસાર જોયે તો ઔષધોમાં ખાસ કરીને બિવાદી ચૂર્ણ ,બીલવાદીવટી , કાલોરસ. એક અનુભૂત ચિકિત્સાઃ બીલવાદી ચૂર્ણ એકે એક ચમચી મોળી છાશ સાથે જોડે અનુભૂત પ્રયોગ પ્રમાણે બિલવાદીવટી અને કાળોરસ વટી તે બધું ચિકિત્સકના માર્ગ દર્શન હેટળ અને ખાસ ઓરલ રિહાઇડરશનનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

Related posts

અહિંસાઃ વિશ્વ શાંતિ માટે દૈવી શસ્ત્ર

Master Admin

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ 

Reporter1

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

Leave a Comment

Translate »