Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AutomobilebusinessGujarat

ટાટા મોટર્સ સાણંદ પ્લાન્ટમાં ૫૦ ટકા ઉત્પાદન ઘટાડશે

મંદી વચ્ચે ગુજરાતને મોટો ઝટકો!

ગુજરાતના ઉદ્યોગ અને રોજગારી પર મોટી અસર થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સાણંદ, તા.૮ માર્ચ ૨૦૨૬ — એક તરફ ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટથી નવા યુગની શરૂઆત થઈ છે, તો બીજી તરફ, ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ૫૦ ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. ટાટા મોટરની આ જાહેરાતથી ગુજરાતમાં રોજગારી પર મોટી અસર પડશે. એક તરફ વિશ્વભરમાં મંદીના વાદળો છવાયા છે, તો બીજી તરફ ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. અનેક રોકાણકારો અને ઉદ્યોગોને તેની મોટી અસર વર્તાઈ છે. આવામાં ગુજરાતને મોટો ઝટકો મળ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટમાં પુરવઠો અને માંગની સ્થિતિ પલટાઈ ગઈ છે. જેને કારણે ટાટા મોર્ટસે મોટો નિર્ણય કર્યો છે. કંપની સાણંદ સ્થિત પ્લાન્ટમાં ઉત્પાદનમાં અડધોઅડધ એટલે કે ૫૦ ટકા કાપ મૂકવાની યોજના બનાવી રહી છે.

એક એજન્સીના અહેવાલ મુજબ, ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારે મંદી આવી છે. જેની અસર સપ્લાય અને ચેઈન પર પડી રહી છે. સાથે જ બજારની માંગમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. તેથી ટાટા મોટર્સ પોતાની સાણંદ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં પ્રોડક્શન કેપેસિટીમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. ઓટોમોટિવ મેન્યુફેક્ચરરના પેસેન્જર વ્હીકલ ડિવીઝનથી ગુજરાત બેઝ્‌ડ ફેસિલિટીમાં ઉત્પાદનમાં ૫૦ ટકા ઘટાડો થવાની શક્યતા છે.

આ પ્રોડક્શનમાં ઘટાડાથી ગુજરાત બેઝ્‌ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પેસેન્જર વ્હીકલ ડિસીઝનના ઓપરેશન પર અસર પડશે. જે ઓટોમોટિવ મેન્યુફેક્ચરર માટે મોટું ઓપરેશન એડજસ્ટમેન્ટ બનશે. આ કંપનીની એક ખાસ પ્રોડક્શન લોકેશન પર મેન્યુફેક્ચરિંગ કેપેસિટી માટેનો મોટો ઓપરેશનલ બદલાવ બની રહેશે.

સાણંદ પ્લાન્ટ ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ ઓપરેશન માટે એક જરૂરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કાર્યરત છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રોડક્શન એડજસ્ટમેન્ટ આ જગ્યા પર કંપનીની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજી પર અસર કરવાનું જરૂરી ઓપરેશનલ નિર્ણય તરફ સંકેત આપે છે. આ ડેવલપમેન્ટ ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ દ્વારા એક સ્ટ્રેટેજિક ઓપરેશનલ એડજસ્ટમેન્ટના ભાગરૂપે થયું છે, જોકે, ઉપલબ્ધ રિપોર્ટમાં પ્રોડક્શનમાં ઘટાડો અને ખાસ કારણો વિશે હજી માહિતી સામે આવી નથી.

Related posts

ભાજપના વર્ષો જૂના સાથી સુનીલ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા

Master Admin

JK Maxx Paints દ્વારા અક્ષય કુમારને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક

Master Admin

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »