Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

બિહારથી લઇને ઓડિશા સુધી લહેરાયો ભાજપનો ભગવો

હરિયાણામાં, ભાજપ માત્ર ૦.૩% મતોથી હારી ગયા

૧૧ રાજ્યસભા બેઠકોમાંથી ૧૦ જીતી શક્યો હોત, ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીશ નંદલ અહીં હારી ગયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૭ માર્ચ ૨૦૨૬ — સોમવારે હરિયાણા, બિહાર અને ઓડિશામાં રાજ્યસભાની ૧૧ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. બિહારમાં NDAના ઉમેદવારોએ પાંચેય બેઠકો જીતી હતી. ઓડિશામાં ભાજપે ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી. દ્ગડ્ઢછએ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ૧૧માંથી ૯ બેઠકો જીતી હતી. જો ભાજપ હરિયાણામાં ૦.૩ ટકા મતથી હાર્યા ન હોત તો આ આંકડો દસ સુધી પહોંચી શક્યો હોત.

બિહારમાં શું આવ્યું ચૂંટણી પરિણાી :બિહારમાં NDAના વિજેતા ઉમેદવારોમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપ પ્રમુખ નીતિન નવીન, RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર અને પાંચમા ઉમેદવાર શિવેશ રામનો સમાવેશ થાય છે.

ઓડિશામાં શું આવ્યું ચૂંટણી પરિણામ :ઓડિશાની ચાર બેઠકોમાંથી NDAએ ત્રણ અને મ્ત્નડ્ઢએ એક બેઠક જીતી હતી. ઓડિશાના BJP પ્રમુખ મનમોહન સમાલ, BJDમાંથી BJPમાં બદલાયેલા સુજીત કુમાર અને ભૂતપૂર્વ BJP નેતા અને હાલમાં પાર્ટી સમર્થિત ઉમેદવાર દિલીપ રે જીત્યા હતા.

હરિયાણામાં પરિસ્થિતિ કેવી રહી? :સોમવારે હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે મતદાનને લઈને મોડી રાત સુધી હાઇ-વોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો. અહીં મતગણતરી લગભગ ૫ઃ૩૦ કલાક મોડી શરૂ થઈ અને પરિણામો સવારે ૨ વાગ્યાની આસપાસ જાહેર થયા. ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર ઓછા માર્જિનથી હારી ગયા. બે બેઠકોમાંથી એક કોંગ્રેસને અને બીજી ભાજપને ગઈ.

ભાજપના ઉમેદવાર સંજય ભાટિયાનો વિજય નક્કી હતો, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કર્મવીર બૌધને જીતવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. તેમણે ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર સતીશ નંદલને ઓછા માર્જિનથી હરાવ્યા.

કુલ ધારાસભ્ય મતો – ૯૦
૨ ભારતીય રાષ્ટ્રીય લોકદળ (INLD) ગેરહાજર
૪ કોંગ્રેસ અમાન્ય
૧ ભાજપ અમાન્ય
બાકી માન્ય મતો – ૮૩
મત મૂલ્ય વિજેતા ફોર્મ્યુલાઃ ૮૩ કુલ માન્ય મતો ટ ૧૦૦/૩ + ૧
જીતવા માટે જરૂરી – મત મૂલ્ય – ૨૭૬૭
કોંગ્રેસ કર્મવીર બૌદ્ધ – મત મૂલ્ય – ૨૮૦૦
ભાજપ સંજય ભાટિયા – મત મૂલ્ય – ૩૯૦૦

અપક્ષ સતીશ નંદલનું મત મૂલ્ય કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો દ્વારા પહેલાથી જ પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી અપક્ષ સતીશ નંદલના કિસ્સામાં બીજા પસંદગીના મત મૂલ્યની ગણતરી કરવાની જરૂર નહોતી. ટોચના બે ઉમેદવારોને વિજયી જાહેર કરવામાં આવ્યા.આમ, કુલ ૮૩ માન્ય મતોની ગણતરી કરવામાં આવી, જેમાં કુલ મત મૂલ્ય ૮૩૦૦ હતું. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને ૨૭.૬૬ ક્વોટા મતોની જરૂર હતી. મત મૂલ્ય અને પસંદગીના આધારે સંજય ભાટિયાને ૨૭૬૬.૬૬ મત, કોંગ્રેસના કર્મવીર બૌધને ૨૮૦૦ મત અને સ્વતંત્ર ઉમેદવાર સતીશ નંદલને ૨૭૩૩.૩૩ મત મળ્યા.

કોંગ્રેસના કર્મવીર બૌધને ૦.૩૩ મતોના નાના માર્જિનથી વિજેતા જાહેર કરવામાં આવ્યા. જોINLD એ ચૂંટણીનો બહિષ્કાર ન કર્યો હોત અને સ્વતંત્ર ઉમેદવાર સતીશ નંદલને મત ન આપ્યો હોત, તો કોંગ્રેસ હારી શકી હોત અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર જીતી શક્યો હોત.

Related posts

છત્તીસગઢના દંતેવાડામાં ૬૩ નક્સલીઓએ કર્યું સરેન્ડર

Master Admin

ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

Master Admin

ઈરાનને આઝાદી મેળવવા મદદ કરીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin

Leave a Comment

Translate »