Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

છત્તીસગઢના દંતેવાડામાં ૬૩ નક્સલીઓએ કર્યું સરેન્ડર

  • ૩૬ પર હતું ૧.૧૯ કરોડ રુપિયાથી વધુ ઈનામ
  • “પૂના માર્ગેમ” પહેલ હેઠળ ૧૮ મહિલાઓ સહિત અનેક નક્સલીઓએ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
દંતેવાડા, તા.૯ જાન્યુઆરી ૨૦૨૬: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ૬૩ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમાંથી ૩૬ નક્સલીઓ પર કુલ ૧.૧૯ કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ નક્સલીઓ ખૂબ જ ખુંખાર હતા. શુક્રવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

દંતેવાડા પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે “પૂના માર્ગેમ” પહેલ હેઠળ ૧૮ મહિલાઓ સહિત અનેક નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. નક્સલીઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ રાજ્ય સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત હતા.

આત્મસમર્પણ કરનારાઓમાં પશ્ચિમ બસ્તર ડિવીઝન કમિટીના સચિવ મોહન કડતી પણ સામેલહતા, જેમણે તેમની પત્ની સાથે આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ પર એક કરોડ રૂપિયાથી વધુનું સંયુક્ત ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જે નક્સલી પ્રવૃત્તિઓમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. આ મોટા પાયે શરણાગતિએ નક્સલી સંગઠનને મોટો ફટકો લાગ્યો છે.

આ આત્મસમર્પણ માત્ર છત્તીસગઢના નક્સલીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ છત્તીસગઢની બહારના નક્સલીઓ પણ શામેલ છે. આ સૂચવે છે કે રાજ્ય પોલીસ અને સુરક્ષા દળો નક્સલવાદ સામે અસરકારક કાર્યવાહી કરી રહ્યા છે અને તેમના પ્રભાવને સફળતાપૂર્વક ઘટાડી રહ્યા છે.

લોન વર્રાટૂ(ઘર વાપસી) અભિયાન હેઠળ નક્સલીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાના પ્રયાસો સફળ સાબિત થઈ રહ્યા છે, જે પ્રદેશમાં શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો કરી રહ્યા છે.

સુરક્ષા દળો દ્વારા ચાલી રહેલા સઘન અભિયાનો નક્સલીઓ સામે માનસિક દબાણ બનાવવા અને તેમને શરણાગતિ સ્વીકારવા માટે પ્રેરિત કરવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. સરકારની પુનર્વસન નીતિઓ હેઠળ શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓને મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવા અને તેમને વધુ સારા જીવન માટે તકો પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ સફળતાથી પ્રદેશમાં સુરક્ષા સ્થિતિમાં સુધારો થવાની અને વિકાસ કાર્યને વેગ મળવાની અપેક્ષા છે.

આ ઘટના છત્તીસગઢ સરકાર અને સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સિદ્ધિ છે. બે દિવસ પહેલા પણ ઘણા બધા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

Related posts

વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત

Master Admin

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

Master Admin

યમુનામાં હોડી પલટી જતાં ૧૦ શ્રદ્ધાળુઓના મોત

Master Admin
Translate »