Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of IndianationalPolitics

હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરી બતાવો

કોર્ટે નિર્દોષ જાહેર કરતાં કેજરીવાલનો ભાજપને પડકાર

છછઁના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – કથિત દારૂ કૌભાંડ મામલે અદાલત તરફથી મોટી રાહત મળ્યા બાદ આમ આદમી પાર્ટી(છછઁ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. તેમણે ભાવુક થતા જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી ભાજપે દારૂ કૌભાંડ શબ્દનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી અમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે સત્યની જીત થઈ છે. જજે આજના ભયના માહોલમાં જે હિંમત બતાવીને ન્યાય આપ્યો છે, તે બદલ હું તેમનો આજીવન ઋણી રહીશ.

કેજરીવાલે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ઝ્રમ્ૈં અને ઈડ્ઢએ જે ૬૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, તેને કોર્ટે અપૂરતી ગણાવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી. જો આ કેસ ચાલ્યો હોત તો ૧૫-૨૦ વર્ષ નીકળી ગયા હોત, પરંતુ કોર્ટે તેને ફર્જી ગણાવીને ફગાવી દીધો છે. કેજરીવાલે સીધો આક્ષેપ કર્યો કે, આ આખું ષડયંત્ર અમેરિકન પ્રમુખ સામે ઝૂકનારા નેતાઓએ ઘડ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, આ બંનેએ મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું અને હવે તેમણે દેશની માફી માંગવી જોઈએ.

પોતાની ઈમાનદારી પર ભાર મૂકતા કેજરીવાલે કહ્યું, મેં જીવનમાં માત્ર ઈજ્જત અને ઈમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઈમાનદાર છે. જે રીતે છછઁના ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જો મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ ૧૦ બેઠકો પણ નહીં જીતી શકે.
અંતમાં કેજરીવાલે વડાપ્રધાનને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપતા કહ્યું કે, જેલમાં મોકલવા કે હત્યાના કાવતરા રચવા કરતા કામ કરીને બતાવો. જો મેં દિલ્હીમાં ૫૦૦ સ્કૂલ બનાવી હોય તો તમે દેશમાં ૫૦૦૦ બનાવો, જો મેં મોહલ્લા ક્લિનિક બનાવ્યા હોય તો તમે ૨૦,૦૦૦ બનાવો. દિલ્હીની જનતા આજે પ્રદૂષણ અને તૂટેલા રસ્તાઓથી પરેશાન છે, કારણ કે કેન્દ્રના ષડયંત્રોએ દિલ્હીનો વિકાસ રોકી દીધો છે. વડાપ્રધાન ઇઝરાયલ જેવા દેશો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરે છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની ટીકા કરે છે ત્યારે તેઓ મૌન રહે છે. હવે સમય આવી ગયો છે કે નેગેટિવ રાજનીતિ છોડીને દેશના વિકાસ પર ધ્યાન આપવામાં આવે.

Related posts

તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન

Master Admin

ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

Master Admin

પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના: કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, ૯ શ્રમિકોના મોત

Master Admin

Leave a Comment

Translate »