Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

કેસી ત્યાગીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત

બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા

જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર,તા.૧૭ માર્ચ ૨૦૨૬ —  બિહારના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના લાંબા સમયથી સહયોગી અને જેડીયુના અગ્રણી નેતા કેસી ત્યાગીએ પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરી છે. જેડીયુના તાજેતરના સભ્યપદ અભિયાનના સમાપન પછી, ત્યાગીએ તેમનું સભ્યપદ રિન્યૂ કર્યું નથી.

કેસી ત્યાગીએ કહ્યું જેડીયુ સભ્યપદ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. મેં આ વખતે મારું સભ્યપદ રિન્યૂ કર્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી છોડવા છતાં, તેઓ તેમની જૂની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ દલિતો, ખેડૂતો અને મજૂરોના અધિકારો માટે લડતા રહેશે. તેમણે એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ઘણી ભૂતકાળની યાદો વાગોળી છે. તેમણે ૨૦૦૩ માં જ્યોર્જ ફર્નાન્ડિસના સમયથી પાર્ટી સાથેના તેમના જોડાણને યાદ કર્યું, અને નીતિશ કુમાર અને શરદ યાદવનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે ૨૨ માર્ચે દિલ્હીના માવલંકર હોલમાં તેમના સમર્થકો અને જૂના સાથીદારોની બેઠક બોલાવી છે, જ્યાં તેઓ તેમની ભાવિ રણનીતિ જાહેર કરશે. ત્યાગીએ કહ્યું કે પાર્ટી છોડ્યા પછી પણ તેમને નીતિશ કુમાર પ્રત્યે ખાસ આદર છે. તેમણે પોતાના પત્રમાં રામ મનોહર લોહિયા અને કર્પૂરી ઠાકુરનો પણ ઉલ્લેખ કર્યો છે.

ત્યાગીનું આગામી મુકામ ક્યાં હશે તે સ્પષ્ટ નથી. જોકે, સૂત્રો કહે છે કે તેઓ હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય થવા માંગે છે અને ટૂંક સમયમાં કોઈ પાર્ટીમાં જોડાઈ શકે છે. આ ઘટનાક્રમ રાજ્યસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પછી જ આવ્યો છે, જે ૧૬ માર્ચે જાહેર કરવામાં આવી હતી. બિહારમાં દ્ગડ્ઢછ એ પાંચેય બેઠકો જીતી હતી.

Related posts

ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગો શોધવા શરૂ કર્યા

Master Admin

ગાયબ થયેલા ૭૫,૦૦૦ ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા

Master Admin

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ એ ટાઇપ 2 ડાયાબિટીસ માટે ભારતના પ્રથમ DCGI-મંજૂર સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન ‘ઓબેડા®’ લોન્ચ કરવાની જાહેરાત કરી

Master Admin

Leave a Comment

Translate »