Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર : ૭ લોકોના મોત

તિરુવલ્લુરની ફેક્ટરીમાં એમોનિયા ગેસ ગળતર

૧૦ શ્રમિકોની હાલત અતિ ગંભીર, જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિકો પણ સામેલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈ, તા.૨૧ જૂન ૨૦૨૬ — તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પેરિયાપાલયમ નજીક કન્નિગાપેર ગામમાં આવેલી ’સેન્ટ પીટર્સ પોલ સીફૂડ પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ કંપની’માં અચાનક એમોનિયા ગેસ ગળતર થયું હતું. ગેસ ફેલાતાની સાથે જ ફેક્ટરી પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા બહાર તરફ ભાગવા લાગ્યા હતા. ગેસ ગળતરથી ૭ના મોત થયા છે જ્યારે ૧૦ની હાલત વધુ ગંભીર બની છે.

આ દુર્ઘટનામાં ૬૫થી વધુ કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી સારવાર દરમિયાન ૭ના મોત થયા છે. જ્યારે ૧૦ શ્રમિકોની હાલત અતિ ગંભીર થઈ છે. જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિકો પણ સામેલ છે. ગેસની અસર થતાં જ ઘણા કર્મચારીઓએ શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેચેનીની ફરિયાદ કરવા માંડી હતી. આ પછી ફેક્ટરી મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. અસરગ્રસ્ત કર્મચારીઓને અલગ-અલગ વાહનો દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

અસરગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક વાહનો દ્વારા નજીકની વેલ્સ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને વેંકટેશ્વર પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા.

ડોક્ટરોની ટીમે તમામ દર્દીઓની તાત્કાલિક તપાસ શરૂ કરીને સારવાર કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, ૧૦ કર્મચારીઓ ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને ડોક્ટરો સતત તેમના પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ, બે લોકોના નાકમાંથી લોહી વહેવાની પણ માહિતી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ ગામના લોકો અને ફેક્ટરીમાં હાજર અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલો અને ફેક્ટરી પરિસરની બહાર એકઠા થઈ ગયા છે.

ઘટનાની ગંભીરતાને જોતા ડોક્ટરોની વિશેષ ટીમે ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક સારવાર કરી હતી. આ પછી ત્રણ ગંભીર દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ સ્થિત સ્ટેનલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે એમોનિયા ગેસનો ઉપયોગ સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજ અને સીફૂડ પ્રોસેસિંગ યુનિટ્‌સમાં રેફ્રિજરેશન સિસ્ટમ માટે કરવામાં આવે છે. બીજી તરફ, રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું છે કે આ દુર્ઘટનામાં ૬૦ મહિલાઓ અને ૪ પુરુષો પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને આ મામલે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.

દુર્ઘટના બાદ પોલીસે આ મામલે હ્લૈંઇ નોંધી લીધી છે. પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે ફેક્ટરીના બે માલિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. તે જ સમયે, ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિને ૨૪ કલાકની અંદર વચગાળાનો અહેવાલ અને ત્રણ દિવસની અંદર વિગતવાર તપાસ અહેવાલ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.

Related posts

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ એ ટાઇપ 2 ડાયાબિટીસ માટે ભારતના પ્રથમ DCGI-મંજૂર સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન ‘ઓબેડા®’ લોન્ચ કરવાની જાહેરાત કરી

Master Admin

સ્પાઈસજેટ ૧ જૂનથી તમામ ૧૨ ફ્લાઈટો બંધ કરશે!

Master Admin

ટેરિફ તણાવથી શેરબજાર લાલ નિશાને! સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટ તૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »