અમદાવાદ, ગુજરાત | ૧૫ જૂન ૨૦૨૬ | તાજેતરમાં રજૂ થયેલી અને પ્રેક્ષકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલી ફિલ્મ *‘કબંદા’*ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની અનોખી રજૂઆત અને સશક્ત કથાવસ્તુએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. દર્શકોના આ પ્રેમ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતા વેદાંત મહેશ્વરીએ હવે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય લીધો છે.
નિર્માતા વેદાંત મહેશ્વરીએ દિગ્દર્શક રેહાન ચૌધરીને ‘કબંદા’ના બીજા ભાગ એટલે કે ‘કબંદા 2’ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ અંગે વાત કરતાં દિગ્દર્શક રેહાન ચૌધરીએ જણાવ્યું હતું કે, “પ્રથમ ભાગને જે પ્રેમ મળ્યો છે તે અમારા માટે સૌથી મોટી પ્રેરણા છે. ‘કબંદા 2’ની વાર્તા પહેલા ભાગ કરતાં વધુ મજબૂત, વધુ અસરકારક અને વધુ રોમાંચક હશે. અમે વાર્તાને વધુ ઊંડાણ અને નવી દિશા સાથે આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે અને વર્ષ 2027માં પ્રેક્ષકો ‘કબંદા 2’ને મોટા પડદા પર નિહાળી શકશે. ફિલ્મની સ્ટારકાસ્ટનવી વાર્તાની જરૂરિયાતને અનુરૂપ કરવામાં આવશે.
ટેક્નિકલ ટીમ પણ મોટા ભાગે અગાઉની જ રહેશે, જેથી ફિલ્મની મૂળ ઓળખ અને ગુણવત્તા જળવાઈ રહે. ફિલ્મમાં ગીતો હશે કે નહીં તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તે અંગેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.
ટૂંકમાં કહીએ તો, ‘કબંદા’ની સફળતા બાદ હવે એ જ નિર્માતા અને દિગ્દર્શકની જોડી વધુ ભવ્ય અંદાજમાં ‘કબંદા 2’ લઈને આવી રહી છે, જેની આતુરતાથી રાહ જોતા પ્રેક્ષકો માટે આ સમાચાર કોઈ ખુશખબરથી ઓછા નથી.
== સમાપ્ત ==

