Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ

યાત્રાળુઓ માટે જાહેર કરાઇ માર્ગદર્શિકા અને નિયમો

ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૨ જૂન ૨૦૨૬ — ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર યાત્રા ૨૬ ઓગસ્ટ સુધી ચાલશે. આ મુસાફરીને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને યાત્રાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN) ને આ યાત્રામાં રહેવા, ભોજન અને પરિવહનની જવાબદારી સોંપવામાં આવી છે.

યાત્રાના પ્રથમ જૂથ માટેની પ્રક્રિયા ૩૦ જૂનથી શરૂ થશે. દિલ્હીમાં પાસપોર્ટ, વિઝા અને તબીબી તપાસની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આ જૂથ ૪ જુલાઈએ ટનકપુર પહોંચશે. યાત્રા દરમિયાન સુરક્ષા અને સ્વાસ્થ્યના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. યાત્રાળુઓ માટે સામાન વહન કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરેક મુસાફર ૨૦ કિલોગ્રામ સામાન લઈ જઈ શકશે. વધારાના ૫ કિલોગ્રામ સામાનનો ઉપયોગ ચીનની મુસાફરી દરમિયાન ખોરાક અને પીણાં માટે કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કોઈ મુસાફર ૨૫ કિલોગ્રામથી વધુ વજનનો સામાન લઈ જશે, તો તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

સ્વાસ્થ્યની કાળજી લેવા માટે દરેક બેચ સાથે પાંચ વ્યક્તિઓની એક ખાસ ’સર્વિસ ટીમ’ રહેશે, જેમાં એક ડૉક્ટર અને ચાર રસોઈયાનો સમાવેશ થાય છે. મંત્રાલયે ૧૯ પ્રકારની જીવનરક્ષક અને પ્રાથમિક સારવારની દવાઓ સાથે રાખવાની સલાહ આપી છે, જેમાં પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, ડાયમોક્સ (ઊંચાઈ માટે), વિટામિન સી, ઇલેક્ટ્રોલ અને પ્રાથમિક સારવારની સામગ્રી (બેન્ડેજ, કોટન, બેટાડાઇન વગેરે) સામેલ છે. હોમિયોપેથી દવાઓ લેતા યાત્રાળુઓને તેમની જરૂરી દવાઓ સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.

સૌથી મહત્વનો નિયમ સ્વાસ્થ્ય વિશે છે; યાત્રા દરમિયાન સાથે રહેલા ડૉક્ટર અને સંપર્ક અધિકારીનો નિર્ણય અંતિમ રહેશે. જો કોઈ યાત્રાળુ શારીરિક રીતે આગળ વધવા માટે સક્ષમ નહીં જણાય, તો તેમને યાત્રા અધવચ્ચેથી છોડવી પડશે અને આવા કિસ્સામાં કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. લિપુલેખ રૂટ પર યાત્રા દરમિયાન સાવચેતી રાખવી અને મુસાફરીને સરળ રાખવી તે દરેક માટે હિતાવહ છે. આ પવિત્ર યાત્રા માટે જઈ રહેલા દરેક શ્રદ્ધાળુએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી તેમની યાત્રા સફળ અને અવરોધમુક્ત રહે.

Related posts

AAPને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી

Master Admin

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં યોજાશે ભવ્ય ડમરુ યાત્રા

Master Admin

‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી’

Master Admin

Leave a Comment

Translate »