Nirmal Metro Gujarati News
editorial

કેન્યામાં ડેમ તૂટી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

વૈશ્વિક સ્તરે પર્યાવરણની સમસ્યા જટીલ બનતી જાય છે. વિવિધ દેશોની  ઋતુઓમા અણધાર્યા પરિવર્તનો આવે છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના નૈરોબી નજીક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે એક ડેમ તૂટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં ૫૦ લોકોનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા નૈરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક કરન્સી મુજબ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
તંત્રી શ્રી
જય સીયારામ. આ સાથેની વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.
પ્રણામ

Related posts

VLCC દેશભરમાં 100+ બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક્સની શરૂઆત સાથે તેની રિટેલ ઉપસ્થિતીને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે

Reporter1

માઈક્રોન ફાઉન્ડેશન અને યુનાઈટેડ વે ઓફ હૈદરાબાદે યુઆરએએમ શિષ્યવૃત્તિ દ્વારા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી

Reporter1

ફેન્ટા સ્વાદિષ્ટ ખુશીને પુનઃવ્યાખ્યાયિત કરે છે; કાર્તિક આર્યનને સમાવતી નવી Fnacking કેમ્પેન લોન્ચ કરે છે

Reporter1
Translate »