Nirmal Metro Gujarati News
editorial

કેન્યામાં ડેમ તૂટી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

વૈશ્વિક સ્તરે પર્યાવરણની સમસ્યા જટીલ બનતી જાય છે. વિવિધ દેશોની  ઋતુઓમા અણધાર્યા પરિવર્તનો આવે છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના નૈરોબી નજીક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે એક ડેમ તૂટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં ૫૦ લોકોનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા નૈરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક કરન્સી મુજબ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
તંત્રી શ્રી
જય સીયારામ. આ સાથેની વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.
પ્રણામ

Related posts

લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા પૂનમબેન માડમની ખાસ અપીલ  

Reporter1

VLCC દેશભરમાં 100+ બ્યુટી એન્ડ વેલનેસ ક્લિનિક્સની શરૂઆત સાથે તેની રિટેલ ઉપસ્થિતીને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે

Reporter1

વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલે GSF MI4 ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કર્યું : ઇનોવેશનમાં સર્વશ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રદર્શન

Reporter1
Translate »