Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશના કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર

૮ લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે બંને રાજ્યોના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ : તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. કેરળ અને ગુજરાતમાં સતત થઈ રહેલા ભારે વરસાદથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કેરળમાં ભારે વરસાદ અને તેને લગતી દુર્ઘટનાઓમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૬ લોકો હજુ પણ લાપતા છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે (ૈંસ્ડ્ઢ) બંને રાજ્યોના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલું છે.

મળેલી માહિતી અનુસાર, કેરળમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૬ લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ૬૫ રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં ૧,૪૦૦ થી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તિરુવંતપુરમ સ્થિત ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ અને પથાનામથિટ્ટારા જિલ્લા વહીવટીતંત્રે ૨ અને ૩ ઓગસ્ટે નિરાપુથરી પર્વના અવસરે સબરીમાલા જનારા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ યાત્રા શરૂ કરતા પહેલા હવામાનની સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખે, કારણ કે ભારે વરસાદ, પંપા નદીમાં વધતું જળસ્તર અને ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) નું જોખમ બનેલું છે. કેરળના ૧૨ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પથાનામથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર, પાલક્કાડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પણ સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને જોતાં વહીવટીતંત્ર પૂરી રીતે સતર્ક છે અને અનેક જિલ્લાઓમાં અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય માટે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લ ની ટીમો જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત છે.

મળતી માહિતી મુજબ, ૈંસ્ડ્ઢ એ રવિવાર માટે ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ, શનિવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુરત અને નવસારી સહિતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

અસમમાં પૂરની સ્થિતિમાં શનિવારે મામૂલી સુધારો નોંધાયો છે અને પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને ૧.૭૮ ઙ્મટ્ઠાર થઈ ગઈ છે, જોકે પૂરથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે. અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (છજીડ્ઢસ્છ) મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોઈ નવા મૃત્યુના સમાચાર નથી અને પૂરથી મરનારાઓની કુલ સંખ્યા ૮૨ બનેલી છે. શિવસાગર અને નુમાલીગઢ (ગોલાઘાટ) માં દિક્ષૌ અને ધનસિરી (દક્ષિણ) નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

જ્યારે ગોલાઘાટ, શિવસાગર, ચરાઈદેવ, બાજાલી, ધેમાજી, સોનિતપુર અને જોરહાટ જિલ્લાઓ હજુ પણ પૂરની લપેટમાં છે. વર્તમાન સમયમાં ૨૧૮ રાહત કેમ્પમાં ૭૧,૮૮૯ લોકો રહી રહ્યા છે અને ૧,૮૧૧ રાહત વિતરણ કેન્દ્રો દ્વારા ભોજન, પીવાનું પાણી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Related posts

વિશ્વની એકમાત્ર ભારતમાં જન્મેલી ક્લાસિક મોટરસાઇકલ બ્રાન્ડ યેઝદીએ ક્રોમ કલરમાં રોડસ્ટર રેડ વૂલ્ફ રિલીઝ કરી

Master Admin

મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાની થયેલી એન્ટ્રી

Master Admin

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો

Master Admin

Leave a Comment

Translate »